Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ અને અંકલેશ્વરના નોટરીયનોએ સૂચિત સુધારા અંગે વિરોધ કરતું આવેદન પાઠવ્યું.

Share

આજરોજ ભરૂચ અને અંકલેશ્વરના નોટરીયનોએ ભરૂચ જિલ્લા કલેકટર મારફત દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તેમજ અન્ય રાષ્ટ્રીય નેતાઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. નોટરીયનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે આજ સરકાર નોટરી અંગે નવો સૂચિત કાયદો કરવા ઇચ્છી રહી છે.

આ અંગે આવેદનપત્રમાં જણાવાયું છે કે નોટરી કરતાં વકીલો નિયમિતપણે તેનું રિનવેશન કરાવે છે અને તેમાં કોઈ જાતની ક્ષતિ રહેતી નથી. નિયમિત રીતે કામકાજ ચાલતું હોવા છતાં સૂચિત ધારામાં નવા ફેરફાર કરવાની ઈચ્છા સરકાર ધરાવે છે તે અંગે આવેદનપત્રમાં જણાવાયું છે કે લોકોને નોટરી કોણ કરે છે અને તેનો સમય કેવો છે તેની ખબર પડી ગઈ છે તેવા સમયે નોટરીયનોની ફેરફાર કરવો યોગ્ય નથી. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ નોટરી અંગેની સગવડ ઊભી કરવાની થશે તો આગવું અને નવું ઇન્ફાસ્ટ્રકચર ઊભું કરવું પડશે જેમાં વીજ ઉપકરણો પણ ગોઠવવા પડશે. અને જ્યાં મોબાઇલના હાલ ટાવર પકડાતાં નથી તેવા વિસ્તારોમાં નોટરી કરવી ખૂબ જ મુશ્કેલ બની રહેશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : જળ પ્રદુષણ કંટ્રોલ થયો નથી ત્યાં તો હવે વાયુ પ્રદુષણની ફરિયાદો!!!

ProudOfGujarat

કુલ-૯ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલી બે ઇસમોને કુલ રૂ.૯,૨૫,૫૦૦/- મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

અંકલેશ્વર ના જુના દીવા ગામમાં ખેતીવાડી ના કામ માટે મૂકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર ચોરી થતાં શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!