Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મક્તમપુરમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રૂા. 2.60 લાખ કરતા વધુ મતાની ચોરી કરી તસ્કરો ફરાર.

Share

ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટી ખાતે તાજેતરમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીના બનાવમાં તસ્કરોએ સોનાં ચાંદીના દાગીના અને રોકડા નાણાં મળી કુલ રૂ 2.60 લાખ કરતા વધુની મતાની ચોરી કરી હતી.

આ ચોરીના બનાવ અંગે હરિનભાઈ મધુસુદન જોષી રહે. વડોદરા એ સી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ હરિન જોશીના માતા પિતા ભરૂચ મક્તમપુર ગાયત્રીનગરના મકાનમાં રહેતા હતાં. પરંતુ તેઓ તા. 4/12/21 થી તા. 12/12/21 દરમિયાન મકાન બંધ કરી મુંબઈ ગયા હતાં તે દરમિયાન તસ્કરોએ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી. તસ્કરોએ ગ્રીલ તેમજ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડી રૂ. 2.51 લાખની કિંમતના સોનાં ચાંદીના દાગીના અને રોકડા રૂ. 15 હજારની ચોરી કરી હતી. આ બનાવની તપાસ સી ડિવિઝન પોલીસના પી.આઈ ડી. પી ઉનડકટ તપાસ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો….

ProudOfGujarat

રાજપીપળા સબજેલમાં બંદીવાન મહિલાને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન મદદરૂપ બન્યું

ProudOfGujarat

સુરત : જે બી ડાયમંડ હાઈસ્કૂલ લસકાણા ખાતે પ્રાથમિક શિક્ષકોની ચિંતન શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!