Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નંદેલાવમાં આવેલ જવાહર સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા દોડધામ.

Share

આજરોજ નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી જવાહર નગર સોસાયટીના એક બંધ મકાનમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી. સોસાયટીના ઘણા વખતથી બંધ હાલતમાં રહેલા મકાનમાં અચાનક ધુમાડા દેખાતા સ્થાનિકો મકાન નજીક દોડી આવી જોતા આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું જેને પગલે સોસાયટીના રહીશોએ નગરપાલિકા ફાયર સ્ટેશનને આગ લાગી હોવાની જાણ કરતાની સાથે જ થોડાક જ સમયમાં લશ્કરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી હતી.

Advertisement

Share

Related posts

સુરત : કામરેજમાં સહકારી મંડળીમાંથી તસ્કરો ૧.૯૦ લાખની રોકડ ચોરી કરી ફરાર.

ProudOfGujarat

પંચમહાલના ઘોઘંબા તાલુકાના દેવની મુવાડી ખાતે શ્યામપ્રસાદ મુર્ખજીની જન્મદિવસની ઉજવણી

ProudOfGujarat

સુપ્રિમ કોર્ટ દ્વારા આદિવાસીઓને જંગલ માથી કાઢવાના ચુકાદા વિરુદ્ધ આદિવાસીઓએ નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!