Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નંદેલાવમાં આવેલ જવાહર સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા દોડધામ.

Share

આજરોજ નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી જવાહર નગર સોસાયટીના એક બંધ મકાનમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી. સોસાયટીના ઘણા વખતથી બંધ હાલતમાં રહેલા મકાનમાં અચાનક ધુમાડા દેખાતા સ્થાનિકો મકાન નજીક દોડી આવી જોતા આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું જેને પગલે સોસાયટીના રહીશોએ નગરપાલિકા ફાયર સ્ટેશનને આગ લાગી હોવાની જાણ કરતાની સાથે જ થોડાક જ સમયમાં લશ્કરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી હતી.

Advertisement

Share

Related posts

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે રક્ષા બંધન પર્વની ઉજવણી કરાય 

ProudOfGujarat

ઝઘડીયા મામલતદાર કચેરીમાં જરૂરી સ્ટાફના અભાવે લોક કાર્યો ગુંચવાતા હોવાની બુમ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે પાનોલી જી.આઇ.ડી.સીમાં આવેલ સકાટા કંપનીમાં અઢી લાખ ઉપરાંતની ચોરી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!