Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જૂની સિવિલ પાસે આવેલ મંદિરમાં ખોડિયાર જયંતિની કરાઇ ઉજવણી.

Share

આજરોજ તારીખ 9 ને બુધવારને મહાસુદ આઠમ ખોડીયાર માતાની જન્મ જયંતી.જુના ભરૂચમા આર.એસ દલાલ સ્કૂલ પાસે આવેલ ખોડીયાર માતાના મંદિરમાં ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચમાં આર એસ દલાલ પાસે જૂની સિવિલમાં ખોડિયાર માતાનું અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલ છે એવું કહેવાય છે કે નવઘણને આ મંદિરની સ્થાપના કરી હતી અહીં આવનાર દરેક લોકોની માનતા પૂર્ણ થાય છે. માલધારી સમાજના કુળદેવી પણ હોય આ મંદિરે માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.

દર વર્ષની જેમ પરંપરાગત રીતે ખોડિયાર જયંતિની ઉજવણી કરાઈ હતી. ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મંદિરમાં યોજવામાં આવ્યા હતા. જેમાં મહા આરતી, હવન તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર – પાનોલી ગામની સીમમાંથી લાખોની માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

સિદ્ધાર્થ શુક્લાના નિધનથી ભાંગી પડી શહેનાઝ ગિલ

ProudOfGujarat

ગોધરા : પાલિકાતંત્ર આજે ખાનગી એજન્સી સાથે રાખીને પોલીસ બંદોબસ્ત વચ્ચે સાફસફાઈ કરાવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!