Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જૂની સિવિલ પાસે આવેલ મંદિરમાં ખોડિયાર જયંતિની કરાઇ ઉજવણી.

Share

આજરોજ તારીખ 9 ને બુધવારને મહાસુદ આઠમ ખોડીયાર માતાની જન્મ જયંતી.જુના ભરૂચમા આર.એસ દલાલ સ્કૂલ પાસે આવેલ ખોડીયાર માતાના મંદિરમાં ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચમાં આર એસ દલાલ પાસે જૂની સિવિલમાં ખોડિયાર માતાનું અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલ છે એવું કહેવાય છે કે નવઘણને આ મંદિરની સ્થાપના કરી હતી અહીં આવનાર દરેક લોકોની માનતા પૂર્ણ થાય છે. માલધારી સમાજના કુળદેવી પણ હોય આ મંદિરે માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.

દર વર્ષની જેમ પરંપરાગત રીતે ખોડિયાર જયંતિની ઉજવણી કરાઈ હતી. ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મંદિરમાં યોજવામાં આવ્યા હતા. જેમાં મહા આરતી, હવન તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 નજીક ટેમ્પોનું શીર્ષાસન

ProudOfGujarat

લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં નિર્ભિકપણે-ઉત્સાહભેર ભાગ લઇ અગાઉ કરેલા વિક્રમી મતદાનની જેમ મહત્તમ મતદાન કરવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે.પટેલની મતદાતાઓને અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!