Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા 2891 ખેડૂતોને 260.26 લાખની સહાય ચૂકવાઇ.

Share

વડોદરા જિલ્લાના ૨૮૯૧ લાભાર્થીઓ જેઓ દેશી ગાય પાળી અને તેના ગોબર તથા ગૌમૂત્રના આધારે, કોઈપણ રાસાયણિક ઇનપુટનો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક ખેતી કરે છે, તેમને દેશી ગાય નિભાવ ખર્ચ સહાયની રાજ્ય સરકારની યોજનાનો લાભ મળી રહ્યો છે.

આત્મા પ્રોજેકટ, વડોદરા પાસેથી મળતી માહિતી અનુસાર આ યોજના હેઠળ તેને લગતા સરકારી ઠરાવોને અને ગ્રાન્ટની ઉપલબ્ધિને આધીન એક ગાય માટે માસિક રૂ.૯૦૦ પ્રમાણે, દર ત્રણ મહિને નિભાવ ખર્ચ ચૂકવવામાં આવે છે.

Advertisement

વિગતવાર માહિતી પ્રમાણે આપતાં યોજના શરૂ થયા પછી ૨૦૨૦ – ૨૧ માં એપ્રિલથી માર્ચ દરમિયાન ૨૨૧૦ લાભાર્થીઓ સહાયને પાત્ર હતા. તે પછી ૨૧/૨૨ ના વર્ષમાં પાત્રતા ધરાવતા વધુ ૬૮૧ લાભાર્થીઓ ઉમેરાયા. આમ, કુલ લાભાર્થી ૨૮૯૧ છે અને તબક્કાવાર રૂ.૨૬૦.૨૬ લાખની નિભાવ સહાય ચુકવવામાં આવી છે.

યોજનાના પારદર્શક અમલ માટે સમયાંતરે ખેડૂતે દેશી ગાય નિભાવી છે? પ્રાકૃતિક ખેતી ચાલુ રાખી છે? તેની ચકાસણી કરવામાં આવે છે. ચકાસણીના માપદંડોને આધીન હાલમાં વડોદરા જિલ્લામાં કુલ ૨૮૯૧ લોકો નિભાવ ખર્ચ સહાયની પાત્રતા યાદીમાં છે.


Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરનાં આલુંજ ગામથી લાખોની મત્તાનાં વિદેશી દારૂના જથ્થા સહિત બે આરોપીઓની ધરપકડ કરાઈ.

ProudOfGujarat

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની પ્રથમ ઇક્વિટી સ્કીમ લોન્ચ કરી – બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ

ProudOfGujarat

ભરૂચની મંગલતીર્થ સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!