Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂંપડામાં લાગી આગ.

Share

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના મકતમપુર નજીક આવેલ કોઠી ફળિયાની ઝૂંપડપટ્ટીમા આજે સવારે અચાનક આગ ભભૂકતા નાસભાગ મચી જવા સાથે અફરાતફરી સર્જાવા પામી હતી.

અચાનક ફાટી નીકળેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 15 જેટલા ઝૂંપડાઓ આ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ આગને પગલે ઝૂંપડાની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી. જોકે આ આગ કેવી રીતે લાગી તે કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે. આગની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયાની ઇન્દોર ગ્રામ પંચાયત દ્વારા નર્મદામાં ચાલતી લીઝો બંધ કરાવવા માંગ.

ProudOfGujarat

ગોધરા શહેરના ભામૈયા ચોકડીથી પરવડી ચોકડી સુધીના રસ્તાને રૂપિયા ૧૫૦૦ લાખના ખર્ચે ફોર લેન કરાશે: જિલ્લા પ્રભારી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા.

ProudOfGujarat

अय्यारी की इस नई कविता के जरिये जानिए दो सेना अधिकारियों की कहानी!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!