Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના બિસ્માર માર્ગનું કામ ન થતા આખરે સ્થાનિકોનો પાલિકામાં હલ્લો..!!

Share

ભરૂચ નગરપાલીકા હદ વિસ્તારના અનેક માર્ગો બિસ્માર અવસ્થામાં છે, કેટલાય વોર્ડના એવા વિસ્તાર છે જયાં આજદિન સુધી બિસ્માર બનેલ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. ભરૂચના વોર્ડ નંબર ૧૦ માં પણ કેટલાય વિસ્તારોમાં રસ્તા આજે પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને પગલે પાલીકા સામે લોકોમાં રોષની લાગણી છવાયેલી જોવા મળી રહી છે.

આજરોજ વોર્ડ નંબર ૧૦ ના AIMIM ના કોર્પોરેટરએ સ્થાનિકોને સાથે રાખી ભરૂચ નગરપાલિકા ખાતે પ્રમુખ અમિત ચાવડા સમક્ષ ઉગ્ર વિરોધ કરી આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોય તેમજ અનેકવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માર્ગનું સમારકામ ન કરવામાં આવતા રોષ વ્યકત કર્યો હતો.

Advertisement

મહત્વનું છે કે કતોપોર દરવાજા સુધીના આ માર્ગ ઉપર અનેક વેપારીઓ પોતાનો ધંધો રોજગાર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, આ વિસ્તારમાં રોજની હજારો લોકોની અવરજવર હોય છે પરંતુ બિસ્માર માર્ગના પગલે આ વિસ્તારોમાં ખરીદી કરવા આવતા લોકો જતા અચકાય છે જેની સીધી અસર વેપાર ધંધા ઉપર પડે છે ત્યારે અવારનવાર પાલિકામાં વેપારીઓએ રજુઆત કરવા છતાં આજદિન સુધી રસ્તાની કામગીરીને લઈ કોઈ નક્કર જવાબ ન મળતા સ્થાનિક વેપારીઓ અને પ્રજાએ પાલીકા સામે મોરચો વહેલી તકે રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામે સરકાર તરફથી મફત અનાજ વિતરણનો લાભ લેવા રેશનકાર્ડ ધારકો અનાજ લેવા ઉમટ્યા.

ProudOfGujarat

મોઢેરાનું સૂર્યમંદિર પણ હવે સોલાર ઉર્જાથી રાઉન્ડ ધ ક્લોક ઝગમગતું દેખાશે

ProudOfGujarat

ભરૂચ : કોરોના પોઝિટીવ દર્દીનાં અંતિમ સંસ્કાર બાદ PPE કીટ રઝળતી મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!