Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં મુસ્લિમ બિરાદરો એ ઈદગાહ ખાતે નમાઝ અદા ઈદની ઉજવણી કરી.

Share

પવિત્ર રમઝાન માસની વિદાય બાદ આવતા ઇદના પર્વની ભરૂચમાં ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી. રમઝાન મહિનાનો ચાંદ દેખાતા જ સમગ્ર મુસ્લિમ વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઇ જતો હોય છે. રોજો એટલે મળશ્કેથી લઇને સાંજે સુર્યાસ્ત સુધી ખાવુ પીવુ જેવી માનવીય ઇચ્છાઓનો અલ્લાહને માટે ત્યાગ કરવો. રમઝાન માસમાં રાત્રે ઇસાની નમાજની સાથેસાથે રમઝાનને લઇને ખાસ વધારાની તરાવીહની નમાજ પણ પઢવામાં આવે છે. આખો મહિનો રોજા રાખ્યા બાદ ઇદનો ચાંદ દેખાતા સવારના ઇદ મનાવાતી હોય છે. ઇદ એટલે ખુશીનો તહેવાર. શાંતિ અને ભાઇચારાનો સંદેશ લઇને આવતા ઇદના તહેવાર નિમિત્તે એકબીજાને ઇદની મુબારકબાદ પેશ કરાતી હોય છે. ઇદના દિવસે વહેલી સવારથી જ નાના બાળકોથી લઇને યુવાનો તેમજ વૃધ્ધો સહિત તમામ મુસ્લિમ બિરાદરો નવા કપડા પહેરીને ઇદના પર્વની ઉજવણીનો આનંદ લેતા હોય છે.

ઇદના દિવસે મસ્જિદોમાં ઇદની નમાજ પઢવામાં આવતી હોય છે. આજરોજ ભરૂચ જીલ્લામાં રમઝાન ઇદના પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી. મુસ્લિમ બિરાદરો એ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મસ્જિદોમાં ઇદની નમાજ બાદ મૌલાનાઓએ દુઆઓ માંગી હતી તેમજ હિન્દુ ભાઇઓએ મુસ્લિમ બિરાદરોને ઇદની મુબારકબાદ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે વિતેલા બે વર્ષો દરમિયાન કોરોના મહામારીને લઇને તહેવારોની ઉજવણી શક્ય બની નહતી. ત્યારે માહોલ પુર્વવત બનતા જનતાના મુખ પર સ્વાભાવિકપણે તહેવારોની ઉજવણીનો થનગનાટ દેખાય છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પાનોલી જીઆઇડીસીની વર્લ્ડ કેમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીનાં સ્ટોરેજમાં આગથી દોડધામ : સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

ભરૂચ : ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેલ્ફ એમ્પ્લોઈડ ટેલરિંગ કોર્સનાં તાલીમાર્થીઓને મશીન વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચારના મોત અનેક ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!