Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આદિવાસી પરિવારને ગંગા સ્વરૂપ યોજનાનો લાભ ન મળતા નગરપાલિકા સભ્ય ઇબ્રાહીમભાઇ કલકલ એ કરી રજુઆત.

Share

નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગા સ્વરૂપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેનો લાભ ઘણી ગંગા સ્વરૂપ બેહનો દ્વારા લેવામાં આવે છે.

ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 મોટા નાગોરી વાડ પાસે રહેતા આદિવાસી પરિવારને છેલ્લા બે મહિનાથી ગંગા સ્વરૂપ યોજના હેઠળની સહાયની રકમ ન મળતા પરિવારે સ્થાનિક નગરપાલિકા સભ્ય ઇબ્રાહીમભાઇ કલકલને રજુઆત કરી હતી. રજૂઆત સાંભળીને સ્થાનિક નગરપાલિકાના સભ્ય ઈબ્રાહીમ કલકલ દ્વારા પોસ્ટ ઓફિસ ખાતે જઈને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પોસ્ટ ઓફિસના કર્મચારીએ લાભાર્થીના ઘરે આવી ગંગા સ્વરૂપા યોજનાની સહાયના નાણાં ચૂકવ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ખાતે નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ટ્રાફિકજામની સમસ્યાનાં પગલે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ.

ProudOfGujarat

ભરૂચ ના બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ દીવાન ને કસ્ટડી માં પોલીસ દ્વારા ઢોર માર મરાયો નો પરિવાર નો આક્ષેપ, બુટલેગર સારવાર હેઠળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!