Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની મુન્શી મનુબરવાલા સ્કુલ કેમ્પસમાં રમઝાન માસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લામાં વસતા ખુબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોનો અતિ પવિત્ર એવી રમઝન માસનો પ્રારંભ તા.૨૪ માર્ચ શુક્રવારના રોજથી થઈ રહ્યો છે ત્યારે આ રમઝાન માસ નિમિત્તે ભરૂચ જિલ્લાના બજારોમાં ખરીદીની તેજી જણાતી હતી. પવિત્ર એવા રમઝાન માસ નિમિત્તે ભરૂચની મુન્શી મનુબરવાલા સ્કુલ કેમ્પસમાં વિદ્યાર્થીઓએ જાતે રમઝાન માસનું મહત્વ સમજાવ્યું હતું અને રમઝાન માસની પવિત્રતા જળવાઈ રહે તેમજ ખુદાની બંદગી ખરા દિલથી કરી શકાય તે માટે નાના નાના બાળકો એવા વિદ્યાર્થીઓએ ખુબ વિસ્તૃતથી સમજ આપી હતી. પાક એવા આ રમઝાન માસમાં ખુદાની બંદગીનું અનેરૂ મહત્વ છે સાથે જ રોજા એટલે કે ઉપવાસ રાખી અને તેનુ કડક પાલન કરી મુસ્લિમ બિરદારો પાંચ સમયની નમાઝ નિયમિત અદા કરતા હોય છે, મુસ્લિમ બિરાદરો ખુદાને મનોમન એવી પ્રાર્થના કરતા હોય છે કે વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેમજ બંધુત્વની ભાવના પણ પ્રસરે અને સાથેસાથે કોરોના મહામારી જેવી મહામારીઓ દૂર થાય.

Advertisement

Share

Related posts

ભરૂચ-જંબુસર માર્ગ પર રેલ ફ્લાય ઓવરના નિર્માણના કારણે ત્રણ દિવસ માટે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : થાનગઢ નગરમાં રેલ્વે ક્રોસિંગ ફાટક બંધ કરાતા પ્રજાને હાલાકી

ProudOfGujarat

દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, સ્કૂલ બસ અને કારની ટક્કરમાં 6 નાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!