Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ ખાતે ઉભરાતી ગટરો અને રોગચારો ફેલાવવાની દહેશતને લઈ મરામત માટે ગ્રામ પંચાયતમાં રજુઆત

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે વાણીયાવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ઉભરાતી ગટરોના કારણે સ્થાનિક લોકોમાં રોગચારાની દહેશત જોવા મળી રહી છે, ગટરો ઉભરાવવાના કારણે ગંદુ પાણી દહેજ બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયું છે, જે રસ્તા ઉપર અનેક ધાર્મિક સ્થાનો પણ આવેલા છે.

જાહેર માર્ગ ઉપર જ ગટરનું દુર્ગંધ મારતું પાણી ફરી વળતા ત્યાંથી પસાર થતા રહાદારીઓ, બાળકો સહિતના લોકોને અવરજ્વરમાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ નજીકમાં જ શાળા આવેલી હોય બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ આ ગંદકી ભર્યા પાણીની અસર થઈ શકે તેમ છે, જેને લઈ સમગ્ર મામલે ગ્રામ પંચાયતમાં લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

દહેજ ગામના અગ્રણી કિશોરસિંહ રણા એ મામલે ગ્રામ પંચાયતમાં પત્ર લખી રજુઆત કરી હતી તેમજ દુર્ગંધ મારતું પાણી અટકાવી ગટરોની વહેલી તકે મરામત કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી, સાથે જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જો સમયસર આ કામગીરી નહીં કરવામાં આવે તો કોરોના અને ડેન્ગ્યુ જેવી ભયંકર બીમારીઓ ફેલાતા વાર નહીં લાગે, જેથી ત્વરિત આ કામગીરી કરવા માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : નસવાડીના લિંડા શિક્ષણ સંકુલમાં જીવાતવાળુ ભોજન અપાતા વિદ્યાર્થીઓનો હોબાળો.

ProudOfGujarat

માંગરોળ અને ઉમરપાડામાં વિકાસના કામો ન્યુ–ગુજરાત પેટર્ન યોજના હેઠળ કરાયા મંજુર.

ProudOfGujarat

ભરૂચ : લારી-ગલ્લાવાળાને વૈકલ્પિક જગ્યા ફાળવવા હિંદુસ્થાન નિર્માણ દળની માંગણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!