Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

Share

ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં અનેક શ્રધ્ધાળુઓ ઉમટયા હતા.

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર રાજયમાં ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી પણ રથયાત્રા નિકળી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઉડીસા સમાજના આગેવાનો સંતો મહંતોની હાજરીમાં પૂજન અર્ચન કરાયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રાએ નગરચર્યા કરી હતી. આ રથયાત્રા આશ્રય સોસાયટીથી નીકળી નંદેલાવ શ્રવણ ચોકડી શક્તિનાથ થઈ પરત આશ્રય મંદિર ખાતે સમાપન થઈ હતી. આ યાત્રા અત્યંત ભક્તિસભર વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમ્યાન કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજમાં જીએસની બિનહરીફ વરણી

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક બાઇક સવાર યુવકનું મોત.

ProudOfGujarat

મિસ યુનિવર્સ સ્પર્ધામાં ઉર્વશી રૌતેલાએ પૂછેલ પ્રશ્ન જે ખૂબ વાયરલ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!