Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વાંસી ગામ ખાતે રેગ્યુલર બસ ના આવતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજુઆત

Share

ભરૂચ જિલ્લામાં એસ.ટી વિભાગની કામગીરી સામે અવારનવાર સવાલો ઉભા થઈ રહ્યા છે, જિલ્લા માં ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી બસો અનિયમિત હોવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે, તો વિધાર્થીઓ પણ બસની અનિયમિતતાના કારણે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, થોડા દિવસ અગાઉ પાલેજથી આવતી બસમાં વિધાર્થીઓ ઘેટાં બકરાની જેમ મુસાફરી કરતા નજરે પડ્યા હતા તો હવે વાંસી ગામ ખાતે બસની અનિયમિત્તા વિધાર્થીઓની મુંજવણમાં વધારો કર્યો છે.

આજરોજ ભરૂચ જિલ્લાના વાંસી ગામના વિદ્યાર્થીઓ તેમજ સરપંચ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, વિધાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓના ગામમાં ભરૂચથી વાંસી આવતી એસ.ટી બસ રેગ્યુલર આવતી નથી, જેના કારણે કરમાડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 50 થી વધુ વિદ્યાર્થી ઓને અગવડતા ઉભી થાય છે.

Advertisement

હાલ વાંસી ગામના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેઓના ગામ તરફ આવતી જતી બસો રેગ્યુલર થાય તે પ્રકારની માંગ કરી છે.


Share

Related posts

અંકલેશ્વર GIDC વિસ્તારમાં વરુણ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી માંથી ખેડૂતો માટે ઉપયોગમાં લેવામાં આવતા રાસાયણિક ખાતરનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે થતો હોવાનો પર્દાફાશ…

ProudOfGujarat

અંકલેશ્વર : સરસ્વતી પાર્કની સામે ડોર ટુ ડોર કચરાની ગાડી ફસાઈ : નગર પાલિકાની કામગીરી પર સવાલો ઉઠયા.

ProudOfGujarat

અંકલેશ્વર : માટીએડ ગામના રહીશ પર નજીવી બાબતે ભાજપા કાર્યકર્તાઓનો વાર..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!