Proud of Gujarat
FeaturedGujaratINDIA

દશેરા પર્વનું કાઉન્ટ ડાઉન – અંકલેશ્વર ONGC ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટ ઊંચા રાવણના પૂતળાની તૈયારીઓ પૂર જોશમાં

Share

વિજયા દશમી એટલે કે દશેરાના પર્વને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાવણ દહનની તૈયારીઓ પણ ચાલુ થઇ ગઈ છે. અંકલેશ્વર ONGC કોલોની ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા પર્વની ઉજવણી થનાર છે ત્યારે અંદાજીત ૫૦ ફૂટ ઉંચા રાવણના પૂતળાને છેલ્લા ૪૦ દિવસ ઉપરાંતના સમયગાળા દરમિયાનથી બનાવવામાં આવી રહ્યો છે અને તૈયારીઓને આખરી ઓપ કારીગરો દ્વારા આપી દેવામાં આવ્યો છે.

તેમજ રાવણના પૂતળાની સાથે સાથે અંદાજીત ૪૫ ફૂટની ઉંચાઈ ધરાવતા અન્ય બે પૂતળા કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા પણ બનાવવામાં આવ્યા છે. આ ત્રણેય પૂતળાને ૮ જેટલા કારીગરોની મદદથી તૈયાર કરવામાં આવે છે જેમાં ૪૦૦ જેટલા વાસ ૨૦૦ કિલોથી વધુ પેપરના કાગળ સહિત કલરનો ઉપયોગ કરવામાં આવે છે. પૂતળામાં વિશેષ મહારાષ્ટ્રથી મંગાવવામાં આવેલ ફટાકડા મુકવામાં આવે છે. બે મહિનાના સમયથી તૈયાર થઇ રહેલા રાવણ, કુંભકરણ અને મેઘનાથના પૂતળાને દશેરાના દિવસે દહન કરી દશેરા પર્વની હર્ષોઉલ્લાસ સાથે અંકલેશ્વર ખાતે આવેલ ONGC કોલોનીમાં ઉજવણી કરવામાં આવશે જેમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેમ આયોજકો દ્વારા જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ઝવરા ખાંટના મુવાડા ગામને સ્મોક ફ્રી તેમજ પોલ્યુશન મુક્ત જાહેર કરાયું. જાણો કેમ?

ProudOfGujarat

 ભરૂચ જિલ્લા તેમજ શહેરના તમામ પત્રકારમીત્રો માટે તેમજ તેમના પરિવાર માટે સૌ પ્રથમવાર મફત તબીબી ચેકઅપ કેમ્પ નું આયોજન કરાયું 

ProudOfGujarat

ભરૂચમાં રોહિત સમાજ દ્વારા સંત રૈદાસ જન્મ મહોત્સવની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!