Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસ અંતર્ગત જમીન વૈજ્ઞાનિકો સાથે પ્રગતિશીલ ખેડૂત અને સરપંચોનો સંવાદ કાર્યક્રમ યોજાયો

Share

આજે ૫ મી વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસ છે. આ નિમિત્તે ભરૂચ જિલ્લામાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષપદે ખેતીની જમીનની ફળદ્રુપતા જાળવવા જમીન વૈજ્ઞાનિકો સાથે પ્રગતિશીલ ખેડૂત અને સરપંચોનો વાર્તાલાપ કલેકટર નિવાસે યોજાયો હતો.

આ સંવાદમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, વિશ્વ જમીન સ્વાસ્થ્ય દિવસના ભાગરૂપે કલેકટર નિવાસ ખાતે જિલ્લાના પ્રગતીશીલ ખેડૂતો તથા જિલ્લાના નવ તાલુકાઓના ગામડાઓના સરપંચોને પરીવારજનો સમજીને અપીલ કરતાં કહ્યું કે રાજ્ય રાજ્યપાલના સ્વપ્ન એવા સમગ્ર રાજ્યને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના સ્તુત્ય પ્રયાસોને ભરૂચ જિલ્લો અગ્રેસર રહે તેવી સંકલ્પના સેવી હતી.

આ ઉપરાંત તેમણે સરપંચોને કહ્યું કે, ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા જહેમત ઉઠાવીને એક મિશન મોડ પર કામગીરી કરીને પણ આગામી પેઢીને ઝેરમુક્ત ખેતી તરફ વાળીને વારસાગત ખેતીમાં જ પ્રાકૃતિક ખેતીને અપનાવીએ તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ખેતીવાળી અધિકારી માંડાણી, બોર્ડ ઓફ એન્વાર્યમેન્ટ સસ્ટેનેબલ ટ્રસ્ટના ચેરમેન સનજીવ વર્મા તથા નવ તાલુકાઓના ગામડાઓના સરપંચો તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઓડિશામાં ત્રણ ટ્રેનો વચ્ચે અકસ્માત થતાં ધારીખેડાનો ભુમી પૂજન અને લોકાર્પણ કાર્યક્રમ રદ કરાયો.

ProudOfGujarat

રાજકોટ (જસદણ) : એસટી બસે બાઈકને ટક્કર મારતા પિતા, પુત્રનુ મોત.માતાને સારવાર હેઠળ ખસેડાઈ….

ProudOfGujarat

“અંકલેશ્વર-હાંસોટ વિસ્તારમાં નહેરો ચાલુ થતાં જ હાલ માં જ સિમેન્ટ કોંક્રેટ કરાયેલ નહેરમાં ભંગાર સર્જાતા ખેડૂતો અને ઉદ્યોગપતિઓ મા નહેર ખાતા દ્વારા કરવામાં આવેલ કામગીરી સામે રોષ અને શંકા”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!