Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના ઉમરા અસુરીયા ગામ ખાતે ઉભરાતી ગટરો અને તૂટેલી ચેમ્બરોથી સ્થાનિકો પરેશાન

Share

ભરૂચ તાલુકાના ઉમરા અસુરીયા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ગટરો અને તૂટેલી ચેમ્બરોના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, ગટરોમાંથી ગંદા પાણી જાહેર માર્ગ ઉપર જ વહેતું નજરે પડે છે, ગ્રામજનો દ્વારા મામલે પંચાયતમાં અવારનવાર રજુઆતો કરવામાં આવી છે, છતાં આજદિન સુધી આ કામગીરી કરવામાં ઢીલાશ દાખવવામાં આવી રહી છે.

મામલે સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે આ પ્રકારની સમસ્યા અંગે ગામના તલાટીને મૌખિકમાં રજુઆત કરી હતી જોકે તલાટી એ ગ્રામજનોને ઉડાઉ જવાબ આપી જણાવ્યું હતું કે મને માણસો નથી મળતા તમે માણસો લાવી જાતે જ આ કામ કરાવી લ્યો જેવા શબ્દો ઉચ્ચારયા હતા જે બાદ મામલે ગ્રામજનોમાં પંચાયત શાસકો સામે આક્રોશ ઉભો થયો છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ પર સહાય માટે અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

ProudOfGujarat

અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એલર્ટ, 100 થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ

ProudOfGujarat

કરજણની વલણ પ્રાથમિક કુમાર શાળામાં મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!