Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

આગામી બકરા ઈદ ના તહેવારને અનુલક્ષી નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ, નબીપુર ના પી.એસ.આઈ. એ તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી.

Share

*આગામી બકરા ઈદ ના તહેવારને અનુલક્ષી નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ, નબીપુર ના પી.એસ.આઈ. એ તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી.*
આગામી તારીખ ૧૭ જૂન ના રોજ મુસ્લિમ સમાજ નો બકરી ઈદ નો તહેવાર દેશભરમાં ઉજવાશે. તે સંદર્ભે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકની હદમાં આવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે નબીપુરના પી. એસ. આઈ. *એસ. આર. મેઘાણી* ની અધ્યક્ષતા મા શાંતિ સમિતિની એક બેઠક ગઈકાલે પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી. જેમાં *નબીપુર, હિંગલ્લા, સિતપોણ, ઝંઘાર, સેગવા, બબુંસર, ઝનોર, અસુરીઆ, લુવારા* ગામોના સરપંચો અને આગેવાનો હાજર રહયા હતા. આ સમિતિમાં ઇદ ના તહેવારમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું, શાંતિ ભંગ ના થાય તેના ઉપર વિશેષ ભાર મૂકાયો હતો. શાંતિ ના દહોળાય તે બાબતે પોલીસ અને તંત્ર ને પૂરો સહયોગ આપવા તમામ ને અપીલ કરાઈ હતી. શાંતિ સમિતિ મા હાજર તમામ સરપંચો અને આગેવાનોએ તંત્ર ને પૂરો સહકાર આપવાની અને શાંતિ બનાવી રાખવાની ખાત્રી એક સૂર મા આપી હતી. આ બેઠકમાં નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝાડેશ્વર ચોકડી પાસે ટ્રકની ટક્કરે અનુપમ રસાયણ કંપનીની બસના ચાલકનું મોત

ProudOfGujarat

પહેલા નોરતે રાજકોટમાં PPE કિટમાં ગરબાની રમઝટ બોલાવી

ProudOfGujarat

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ આહ્વાન અનુસાર કોરોના સામેની લડાઈમાં એકતાનો સંદેશો આપવા રાત્રીનાં નવ વાગ્યે દિપ પ્રકટાવવાની અપીલ કરતા જિલ્લા સમાહર્તાશ્રી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!