Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વર્ગીય વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની જન્મ જંયતી નિમિત્તે પુષ્પાજંલી અર્પણ કરાઈ…

Share

સ્વર્ગીય વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની આજ રોજ જન્મ જંયતી નિમિત્તે તેમને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલ પુષ્પાજંલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિહ રણાએ જણાવ્યુ હતુ કે સ્વર્ગીય વડાપ્રધાન ઈન્દીરા ગાંધી લોખંડી મનોબળ ધરાવતા હતા પાકિસ્તાન સાથેના યુધ્ધમાં તેમના નેતૃત્વમાં દુનિયાએ ભારતની ખમીરતાનો પરચો મેળવી લીધો હતો. ત્યાર બાદ બૈંકોના રાષ્ટ્રીય કરણ વગેરે ઐતિહાસિક પગલાઓ ખુબ મહત્વના સાબિત થયા હતા. આ પ્રસંગે પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા પ્રવક્તા નાઝુ ફડવાલા, અરવિંદ ધોરાવાલા, વિક્કિ શોખી, મગનભાઈ પટેલ, ઝુબેર પટેલ, દિલાવર પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદ ઇન્દોર હાઇવે પર પોલીસે ટ્રકમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી પાડયો

ProudOfGujarat

વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમ એ રાજસ્થાનમાં બોરવેલમાં ફસાઈ ગયેલા બાળકનું રેસ્ક્યુ કર્યું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગામી તા.27 એ ઓર્થોપેડિક કેમ્પ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!