Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકાનાં કરમાડ ગામનાં 6 વર્ષ પહેલાના ચકચારી હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

Share

ભરૂચ.

ભરૂચ તાલુકાનાં કરમાડ ગામે 20 એપ્રિલ 2019 ના રોજ નવી નગરી વ્હાલુ ફળીયામાં રહેતા નરેન્દ્ર ઉર્ફે મુન્નો વસાવાએ પરિણીતાનાં ઘરે આવી તેના પતિ કમલેશ વસાવાને તું મારા ઘરે તારી પત્નીને શોધવા કેમ આવ્યો હતો તેમ કહી ઝઘડો કર્યો હતો.ઉશ્કેરાયેલા આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નો વસાવાએ તેના હાથમાની કુહાડી કમલેશભાઈનાં માથામાં મારી દેતા તેઓ રોડ ઉપર પડી ગયા હતા. જ્યાં તેઓનું સ્થળ પર જ મોત થયું હતું.

Advertisement

ભરૂચ તાલુકા પોલીસ મથકે હત્યાના આ ગુનામાં ચાર્જશીટ દાખલ થયેલ કેસ ભરૂચ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. ભરૂચનાં બીજા એડીશનલ સેસન્સ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ ઈ.એમ.શેખની કોર્ટમાં સરકાર તર્ફે સરકારી વકીલ મનોહરસિંહ રાઠોડે ઉપસ્થિત રહી 14 સાહેદોને તપસ્યા હતા. સાથે 21 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.સરકારી વકીલની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખી કોર્ટ દ્રારા આરોપીને ખુનનાં ગુનામાં કસુરવાર ઠરાવી, આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.


Share

Related posts

અંકલેશ્વર : વિપક્ષી ઉપનેતા અને જિલ્લા યુવા મહામંત્રી દ્વારા કોવિડ ટેસ્ટિંગ સેન્ટર ઉભું કરવા માંગ કરાઈ.

ProudOfGujarat

લીંબડી રાજકોટ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

આમોદના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૬૪ ઉપર આઇસર ટેમ્પોમાંથી દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા લોકો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!