Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયુંઅંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું

Share

ભરૂચ.

અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાશ સાથે નીકળી હતી, રથયાત્રા શહેરના મુખ્યમાર્ગ થી પસાર થઇ રહી હતી જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાં ની વ્યવસ્થા કરાઈ હતી, હિન્દૂ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને મળીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી, શહેર માં કોમી એખલાસ નો માહોલ જોવા મળીયો હતો, આ પ્રસંગે વસીમ ફડવાલા સાથે વાત કરતા એમને જણાવ્યું હતું કે શહેર અને દેશમાં કૌમી એખલાશ નો માહોલ બની રહે અને આવનાર તહેવારો હિન્દૂ મુસ્લિમ લોકો સાથે હળીમળીને ઉજવણી કરે અને શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી, આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો પૈકી વસીમ ફડવાલા, નજમુદ્દીન શેખ, જુનેદ પાંચભાયા, અસ્પાક બાગવાલા, ઈમ્તિયાઝ ઘોણીયા, મુસ્તાક ચીકીવાલા, સોકત ચીકીવાલા, સાદિક શેખ, જાનુ લસ્સીવાળા, સિકંદર કડીવાલા, લાલા રિક્ષાવાલા, તૌફીક મેમણ, રસીદ શેખ, મોહમ્મદ હુસેન ચુન્નુ, અતુલ મુલાણી, તથા સેલારવાડ યંગ કમિટીના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વેલ્ફેર હોસ્પિટલના ભવ્ય એન્ટ્રસ ગેટ અને અદ્યતન ઓપરેશન થીએટર નું લોકાર્પણ . ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને સાંસદ અહેમદ પટેલે લોકર્પણ કર્યું .મોટી સંખ્યામાં એન આર આઈ પણ ઉપસ્થિત રહ્યા…

ProudOfGujarat

રાષ્ટ્રીય પુરસ્કારો ભારતીય વાર્તાઓનો ખરો ઉત્સવ છે: ‘ગિદ્ધ’ જીતવા પર રાધિકા લાવુ

ProudOfGujarat

જન્માષ્ટમીના તહેવાર પર 6 દિવસ સુપ્રસિદ્ધ વીરપુરનું જલારામ મંદિર બંધ રહેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!