Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં દશામા વ્રતની તડામાર તૈયારીઓ મૂર્તિકારો મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત

Share

ભરૂચ

ગૌરીવ્રતનીહર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવ્યાં બાદ ભરૂચવાસીઓ હવે દશામાના વ્રતની ઉજવણી માટે સજજ બની રહયાં છે. દશામાના વ્રત પહેલાં મૂર્તિકારો માતાજીની પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત બની ગયાં છે. બજારમાં રૂ.100થી લઇ રૂ.5,000 સુધીની માતાજીની પ્રતિમાઓનું વેચાણ થઇ રહયું છે.

Advertisement

ભરૂચ શહેર અને જિલ્લામાં દશામાના વ્રતની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. દશામાના વ્રતના 10 દિવસ દરમિયાન ભાવિક ભકતો માતાજીની આરાધનામાં લીન બની જાય છે. દશામાના વ્રત નિમિત્તે મોટા ભાગના ઘરોમાં દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને 10 દિવસ સુધી માતાજીનું પૂજન અર્ચન કરાઇ છે. દશામાના વ્રતને ધ્યાનમાં રાખી મૂર્તિકારો પણ દશામાની પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત બની ગયાં છે.

શહેરના દાંડીયાબજાર તથા આસપાસના વિસ્તારમાં દશામાની મૂર્તીઓનું બજાર ભરાય છે. દાંડીયાબજાર ખાતે મૂર્તિકારો માતાજીની કલાત્મક પ્રતિમાઓ તૈયાર કરી રહયાં છે. દશામાના વ્રતના આગળના દિવસથી ભકતો માતાજીની અવનવી વેરાયટીની પ્રતિમાઓ ખરીદતાં હોય છે. ભરૂચ શહેરના બજારોમાં રૂ.100થી માંડીને રૂ. 5,000 સુધીની કિંમતની મૂર્તીઓ વેચાઇ રહી છે. દશામાના વ્રતના દિવસો નજીક આવતાં જશે તેમ વેચાણમાં વધારો થવાનો આશાવાદ વેપારીઓ સેવી રહયાં છે.


Share

Related posts

હવાઈ મુસાફરી થઈ શકે છે મોંઘી, ATFના ભાવમાં ફરી થયો મોટો વધારો

ProudOfGujarat

ભરૂચના ચાવજ ગામે તા. 22 માર્ચથી શરૂ થતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની તડામાર તૈયારીઓને આખરી અપાયો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!