Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા નવા 76 શિક્ષકો

Share

સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા, અંકલેશ્વર ખાતે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભલામણપત્ર અને નિમણૂકપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો. નવ નિયુક્ત શિક્ષકોને સંપૂર્ણ કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી કેળવણી ઘડતર દ્વારા દેશ માટે આદર્શ નાગરિકો તૈયાર કરવાની અપીલ કરતા જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલના અધ્યક્ષ સ્થાને સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા, અંકલેશ્વર ખાતે શિક્ષણ સહાયક ભલામણપત્ર – નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી પસંદગી સમિતિના સભ્ય અને શાળા સંચાલક મંડળ, ભરૂચના પ્રમુખ પ્રવિણસિંહ રણા, ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ અને ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા તેમજ ભરૂચ જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ પુષ્કરસિંહ રણા દ્વારા ભરૂચ જિલ્લામાં નિયુક્તિ પામનાર શિક્ષકોને અભિનંદન પાઠવી શાળાઓના શિક્ષણને વેગવંતુ અને અસરકારક બનાવવા અપીલ કરી હતી. શિક્ષણાધિકારી સ્વાતિબા કે રાઓલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં નવા શિક્ષણ સહાયકોને અપડેટ રહી ગ્રાન્ટેડ શાળાઓમાં શ્રેષ્ઠ પરિણામ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક અને ભરતીના નોડલ અધિકારી  દિવ્યેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાના વાંદરી ગામના વિકાસ બદલ સાંસદ એહમદ પટેલને “નર્મદા રત્ન” એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

ભરૂચ : જંબુસરના કલક ગામે પુત્રીને ગૌરીવ્રતનું ખાવું આપવા જતાં પિતાનું અકસ્માતમાં મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!