Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એસ.ટી. વિભાગ દ્વારા ‘હર ઘર તિરંગા’ રેલી અને વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા

Share

ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી વિભાગીય યંત્રાલયથી શરૂ થઈ વિભાગીય કચેરી, ભોલાવ અને ભોલાવ બસ સ્ટેશન સુધી પહોંચી હતી. એસ.ટી. કર્મચારીઓએ મુસાફરો અને સ્થાનિક નાગરિકોમાં તિરંગા પ્રત્યે ગર્વની ભાવના જગાવી તેમજ ઘરો ઉપર તિરંગો ફરકાવવાની અપીલ કરી.આ કાર્યક્રમના અંતે ‘વ્યસન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત તમામ કર્મચારીઓએ વ્યસનમુક્તિ માટે પ્રતિજ્ઞા લીધી. આ અવસરે વિભાગીય નિયામક આર.પી. શ્રીમાળી, વિભાગીય પરિવહન અધિકારી સોલંકી, ડેપો મેનેજર વી.આર. છત્રીવાલા સહિત યંત્રાલય, કચેરી અને ભોલાવ બસ સ્ટેશનના કર્મચારીગણની હાજરી રહી.

Advertisement

Share

Related posts

ગોધરા શારદા મંદિર હાઇસ્કુલ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇકને રહસ્યમય રીતે આગ ચાંપી દેવાની ધટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

સોસાયટીમાં બનાવેલાં ગેટ મુદ્દે શખ્સના ઘરમાં પંચાયત સભ્ય સહિત ટોળાનો હુમલો 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!