Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી-મુંબઈ 8 લેન એક્સપ્રેસ-વે વન સાઈડ બિનસત્તાવાર શરૂ

Share

ભરૂચ-અંકલેશ્વર એક્સપ્રેસ હાઇવે શરૂ, પુનગામ નજીક ડાયવર્ઝન દ્વારા સુરત જવાનું રહેશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો હિસ્સો બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે. વાહનચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક બનાવાયેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે.8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં આવેલો છે. ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે કામગીરી અટકી હતી. આ કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે.ભરૂચથી સુરત તરફ જતા વાહનચાલકો એક્સપ્રેસ હાઇવે થઈને અંકલેશ્વરના પુનગામ સુધી પહોંચી શકે છે. ત્યાંથી ડાયવર્ઝન મારફતે અંકલેશ્વર-હાંસોટ-ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવે પર જઈ શકે છે. સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે.અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઇવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે. આ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા ઘટશે.

Advertisement

Share

Related posts

જામનગર એરપોર્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું કોંગી અગ્રણીઓ દ્વારા કરાયું સ્વાગત.

ProudOfGujarat

અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ એમપી નગર પાસે યુવાનને અગમ્ય કારણોસર સાત ઈસમોએ યુવાન પર હુમલો કરતા તેને ઇજા પહોંચી હતી.

ProudOfGujarat

સત્તાધીશો ના ઈશારે શરૂ કરાયેલ ટોલટેક્સ માંથી ભરૂચ ના વાહનોને મુક્તિ આપવા માં આવે તેવી માંગ સાથે યૂથ કોંગ્રેસ અને સ્થાનિક લોકો એ જીલ્લા સમાહર્તા મેં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!