Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર-સુરત હાઈવે પર જળબંબાકાર નર્મદા નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા, વાહન વ્યવહાર ઠપ્પ

Share

અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે લોકોને પોતાના રોજિંદા કામકાજ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા વાહનો પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે. જોકે, નાના વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છેઅંકલેશ્વર-સુરતને જોડતો સ્ટેટ હાઈવે હાલ નદી જેવો દેખાઈ રહ્યો છે. કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નોકરી અને ધંધા પર જતા લોકો રસ્તામાં અટવાયા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે 72માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રા પાટીયા નજીક આવેલ અગસ્તી-સર્વોદય સ્કુલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ બેંચ બદલવા જેવી નાની બાબતે માર મારતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે

ProudOfGujarat

राजकुमार हिरानी की पत्नी मनजीत हिरानी ‘हाऊ टू बी ह्यूमन- लाइफ लेसन्स बाय बड्डी हिरानी’ नामक एक पुस्तक का अनावरण करेंगी!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!