Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગત ૧૬ મીને મંગળવારે વનવિભાગ દ્વારા ને પકડવા માટે પાંજરૂગોઠવ્યું હતું અને રાતે દિપડો પાંજરે પુરાઓ

Share

માંડવી ના પુના ગામે આશ્રમ ફળિયામાંથી એક દીપડો રાતે પાંજરે પુરાયો હતો. છેલ્લા કેટલાક સમયથી દીપડો રહેણાક વિસ્તારમાં આવી ચઢતો હોય ગ્રામજનોએ વન વિભાગને ફરિયાદ કરી હતી જેના આધારે વન વિભાગે પાંજરું ગોઠવતા દીપડો પીંજરામાં કેદ થઈ ગયો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાના પુના ગામ આશ્રમ ફળિયામાં રહેતા ગોવિંદભાઈ કમળભાઈ ચૌધરીના ઘર નજીક અવાર નવાર દીપડો આવી ચઢતો હતો. ગ્રામજનોએ દીપડાને પકડવા માટે વન વિભાગને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધારે વન વિભાગની ટીમ દ્વારા મંગળવારના રોજ ગોવિંદભાઈના ઘર નજીક મારણ સાથે એક પીંજરુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રાત્રિના બે વાગ્યાની આસપાસ એક દીપડો પીંજરામાં કેદ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા. વન વિભાગે દીપડાનો કબ્જો લઈ તેનું તબીબી પરીક્ષણ બાદ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

જીતેન્દ્ર સોલંકી. માંડવી


Share

Related posts

 ભરૂચ પાલેજ માર્ગે પરીએજ ગામની સીમમાંથી અજગરનું રેસ્ક્યુ

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકામાં કોરોના પોઝિટિવની સંખ્યા વધી, નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દીમાંથી નાંદોદ તાલુકાનાં 11 છે.

ProudOfGujarat

સુરતનાં ઉપનગર કણાદ સ્થિત બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિરમાં પ્ર.બ્રા.પૂ.મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!