અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જ્વેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આગામી તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવા આ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાંઆવી.
પી.આઈ. પી.જી. ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જવેલર્સ એસોસિએશનના સભ્યોને તેમની તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા ફરજિયાતપણે લગાવવા સૂચના આપવામાં આવી હતી. તહેવારો દરમિયાન તસ્કર ટોળકી જ્વેલરી શોપને નિશાન બનાવતી હોવાથી આ પગલું લેવાયું છે.આ ઉપરાંત, બેંકના અધિકારીઓ અને અન્ય વેપારીઓને પણ તહેવારોમાં વિશેષ તકેદારી રાખવા જણાવાયું હતું. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
Advertisement
