Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના મુક્તિનગરમાં ગાયને પ્રસૂતિસંબંધિત તકલીફ, પ્રાણીપ્રેમીઓની સતર્કતાથી બચી જાન

Share

ભરૂચ શહેરના મુક્તિનગર વિસ્તારમાં એક ગાય ગર્ભાશયનો ભાગ બહાર આવી જવાના દુઃખાવાથી પીડાતી જોવા મળી હતી. આ અંગેની જાણ સ્થાનિક રહીશ કમલેશ ગોસ્વામીએ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરી હતી.

માહિતી મળતા જ હિરેન શાહ તેમની ટીમના સભ્યો રમેશ દવે, યોગેશ મિસ્ત્રી, સંજય પટેલ અને જોગંત પટેલ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે તાત્કાલિક ડૉક્ટરની મદદથી ગાયને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. પરંતુ ગાયની હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવારની જરૂર જણાતા, સાર્થક ફાઉન્ડેશનની એનિમલ એમ્બ્યુલન્સ મારફતે તેને કરજણ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી.પ્રાણીપ્રેમી સંસ્થાઓ અને સ્થાનિક રહેવાસીઓની સમયસરની સતર્કતા અને માનવતાભર્યા પ્રયત્નો પ્રશંસનીય ગણાયા છે.

Advertisement

Share

Related posts

સોશિયલ મીડિયાના બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ઉભું થાય તેવા ખોટા મેસેજ વાયરલ કરનાર બે ઈસમોને દહેજ પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

ઝનોર એનટીપીસી ખાતે ૩૦૦થી વધુ કર્મચારીઓ કામથી અળગા રહી હડતાળ પર ઉતર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!