ભરૂચ ના મકતમપુર ના મખદુમ હોલ માં ભરૂચ ની નારાયણ આઇ હોસ્પિટલ ના સહકાર થી જન સૃષ્ટિ ટ્રસ્ટ ના સહયોગ થી આંખ તપાસ કેમ્પ રાખવા માં આવ્યો હતો
ભરૂચના મકતમપુર ખાતે મ મખદુમ હોલ ખાતે ગઈકાલે રવિવારે ભરૂચની નારાયણ આઈ હોસ્પિટલ ના સ્ટાફ અને તબીબના સહયોગથી જન સૃષ્ટિ ટ્રસ્ટ ના ઉપક્રમે આંખ તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કેમ્પમાં 175 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં 35 થી વધુ મોતિયા ના ઓપરેશનના દર્દીઓ મળી આવ્યા હતા જેઓને આગમ્ય દિવસોમાં નારાયણ આઈ હોસ્પિટલ ખાતે વિનામૂલ્ય ઓપરેશન કરવામાં આવશે અન્ય દર્દીઓને ચશ્મા ની તપાસ કરવામાં આવી હતી 50થી વધુ દર્દીઓને મફત ચશ્મા નુ વિતરણ કરવામાં આવ્યું હતું . આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કેમ્પનું આયોજન જનસૃષ્ટિ ટ્રસ્ટ ના સહયોગથી કરવામાં આવ્યું હતું જેના પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર એ હાજરી આપી આ કેમ્પને સફળ બનાવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે મકતમપુર ગામના સામાજિક આગેવાન સૈયદ ઇફતેખાર. સૈયદ નાઝીમબાવા વાહિદ મશહદી. ઝરાર મશહદી. સહિત ના સામાજિક કાર્યકર્તાઓ એ આ કેમ્પને સફળ બનાવવામાં મહેનત કરી હતી
