। ભરૂચ ।
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ૨૨ કેવી સ્વામીનારાયણ ફીડર પર મેઈન્ટેનન્સ માટે બુધવારે વીજકાપ રાખવામાં આવ્યો છે. જેના કારણે ૨૨ કેવી સ્વામીનારાયણ ફીડર તરફથી અયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને માતરિયા ઈન્ટેકવેલ પર અપાતો વીજ પુરવઠો સવારના ૮થી સાંજના ૪ કલાક સુધી બંધ રાખવામાં આવનાર હોવાથી બુધવારે સવારે ૮ વાગ્યાથી તમામ ટાંકી પરથી અપાતો પાળી પુરવઠો બંધ રાખવામાં આવશે. જેથી શહેરના લોકોને પાણીનો સંગ્રહ કરી રાખવા સહિત સાચવીને વપરાશ કરવા માટે ભરૂચ નગરપાલિકાના મુખ્યઅધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી છે. ૧૮મીએ ગુરુવારથી તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે તેમ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.
