ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધી 4 કિલોમીટરના ચાર માર્ગીય માર્ગનું 23 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે જ્યારે આ માર્ગ ઉપર 250 થી પણ વધુ ઘટાદાર વૃક્ષો હતા ત્યારે આ માર્ગ બનાવતા માર્ગમાં અડચણરૂપ આવતા વૃક્ષોનું તંત્ર દ્વારા નિકંદન કરવામાં આવ્યું હતું ત્યારે આ માર્ગ ઉપર હાલ કોઈ જ વૃક્ષ ન હોવાથી અહીંથી પસાર થતા લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે ત્યારે ઝાડેશ્વર ચોકડી ને અડીને આવેલ અભિનવ એવન્યુ શોપિંગ પરિવાર દ્વારા આજે શોપિંગ ના આગળના ભાગ ઉપર રોડને હારીને 15 થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેથી અહીંથી મહત્તમ લોકો ઝાડેશ્વર ચોકડી થી ઝનોર સુધીના લગભગ 25 થી વધુ ગામના લોકો ઝાડેશ્વર અભિનવ એવન્યુ શોપિંગ ની આગળ ઊભા રહી વાહનોની બસ રીક્ષા જેવા લોકલ વાહનોની રાહ જોતા હોય છે ત્યારે આવા સમયે લોકોને ગરમી કે વરસાદમાં રાહત મરે તેવો વૃક્ષની નીચે ઊભા રહે જેને ધ્યાને લઈ અભિનય એવન્યુ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયો
