Proud of Gujarat
EducationFeaturedGujaratINDIA

ભરૂચની મુન્શી વિધાધામ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન

Share

ભરૂચની મુન્શી વિધાધામ દ્વારા સ્વચ્છતા માટે જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે આજરોજ એક સ્વચ્છતા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
મુન્શી(મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરુચ સંચાલિત મુનીર મુન્શી સાર્વજનિક મા.શાળા દાઉદ મુન્શી(વિજ્ઞાનપ્રવાહ) વાયુ મેમો(સા.પ્ર) અલીફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે એક સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મુન્શી વિધાધામમાથી નીકળી મનુબર ચોકડી, આબાદનગર, શિફા શાકમાર્કેટ થઈ તે જ રોડ પર પરત ફરી હતી. જેમાં 240 વિધ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરી સ્વચ્છતા માટે લોકોને જાગૃતિ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં સંસ્થાના ટ્રસ્ટી, આચાર્યો અને ‘બી’ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. હાજર રહી રેલીનું પ્રસ્થાન કરાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નાગરિક સુવિધા કક્ષનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં શિયાળા ની ઋતુ ની શરૂઆત સાથે ગરમીનું વાતાવરણ યથાવત

ProudOfGujarat

અમદાવાદમાં મેટ્રોનો આજથી વધુ એક રૂટ શરુ, એપીએમસીથી મોટેરા વચ્ચે શરુ થઈ ટ્રેન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!