Proud of Gujarat
INDIAFeaturedGujarat

દહેજનાં જાગેશ્વર નજીક નર્મદા નદીમાં દહેજ અને વિલાયત જી.આઈ.ડી.સી.નું પ્રદુષિત પાણી ભળતાં અસંખ્ય માછલીનાં મોત.

Share

ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં સૌથી વધુ પ્રદુષણ માટે અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીની કંપનીઓનાં નામ આવે છે ત્યારે હવે ઝઘડીયા બાદ દહેજ અને વિલાયતની જીઆઇડીસીમાં આવેલી કંપનીઓ પણ કેમિકલયુક્ત પાણી છોડતી થઈ છે અને તેના કારણે હવે નર્મદા નદીમાં માછલીઓનાં મોત થઈ રહ્યા છે. જેમાં આજે વાગરા તાલુકાનાં જાગેશ્વર ગામ ખાતે નદી કિનારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં નર્મદા નદીના કિનારે મળી આવી હતી. જેની જાણ આજુબાજુનાં ગ્રામજનો થતાં જેમાં પણ માછીમાર સમાજને થતા તેઓ દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરી હતી અને નમૂના લેવાની માંગણી કરી હતી. સાથે સાથે તેમણે એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે દહેજની કેટલીક કેમિકલ કંપની તેમજ વિલાયત GIDC માં આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલ પ્રદૂષિત પાણી ખાડીઓમાં છોડી દેવામાં આવતા આ પાણી નર્મદા નદીમાં પડતાં તેના કારણે આ માછલીઓનાં મોત થયા છે. જ્યારે આ મામલે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેમજ જે માછીમારો નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

શાળા સંકુલ પાસે વાહન પાર્કિંગનું આયોજન સુચારુ કરવા ડીઈઓની સંચાલકોને તાકીદ

ProudOfGujarat

ઉનાળાની કાળ જાળ ગરમીના પ્રારંભે ઠેર ઠેર પરબનું નિર્માણ કરવા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

ભરૂચ : સિવિલ હોસ્પિટલનાં વોર્ડ રૂમમાંથી બે કેદી ભાગી જવાના મામલે 4 પોલીસ કર્મીઓને પોલીસ વડાએ સસ્પેન્ડ કરતા ખળભળાટ..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!