Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટતાં 6 શ્રમિકો ઈજાગ્રસ્ત

Share

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો હતો. આ ટાંકીનો સ્લેબ તુટતા કામ કરી રહેલા શ્રમિકોમાંથી 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ શ્રમિકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની વધુ વિગત મુજબ દાહોદના આમલી ખજૂરીયામાં નલ સે જલ યોજના અંતર્ગત એક નિર્માણધીન ટાંકીનો સ્લેબ તુટ્યો હતો. આ ઘટના સવારે બની હતી જ્યારે નિયમીત રીતે શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક સ્લેબ તુટી ગયો હતો જેથી 6 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘાયલ શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ તંત્રને થતા ઘટનાસ્થળે પહોંચ્યુ હતું. હાલ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

દેશમાં 2 થી 18 વર્ષનાં બાળકો માટે ભારત બાયોટેકની વેક્સીનનાં બીજા-ત્રીજા ફેઝનાં ટ્રાયલને મંજૂરી અપાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લોમાં બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ, 35,861 વિદ્યાર્થીોએ આપી હાજરી

ProudOfGujarat

કોરોના દર્દીના સગાઓ અને ફરજ પરના હોમગાર્ડ જવાનો માટે દેડિયાપાડાના સેવાભાવી દંપતીની નિ:સ્વાર્થ ભાવની અનોખી સેવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!