Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાથી નિવાલ્દા જતા રસ્તા ઉપર ઊડતી ધૂળથી સ્થાનિક રહીશો પરેશાન.

Share

ડેડીયાપાડાથી નિવાલ્દા જતા રસ્તા ઉપર હાઇવા ટ્રકથી માંડીને મોટા વાહનોની ઘરેરાટી સાથે ઊડતી ધૂળની ડમરીઓથી લોકો પરેશાન થઈ ગયા છે. રોડ ઉપરથી ઊડતી ધૂળ લોકોનો ઘરોમાં આવે છે અને શ્વાસમાં જવાથી લોકો બીમાર પડતા હોઈ પાડાના વાંકે પખાલીને ડામ દેવાતો હોય એવો ઘાટ ઘડાતા લોકોમાં રોષ ફેલાયો છે. જોકે સ્થાનિક રહીશોએ જાગૃતિનું ઉદાહરણ દાખવી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે જેમાં ઊડતી ધૂળથી સ્થાનિક રહીશો પરેશાન થતાં ડેડીયાપાડાથી નિવાલદાની વચ્ચે ખાડી પર આવેલા પૂલ ઉપર રહીશોએ ધરણા પ્રદર્શનસાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ અંગે રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડેડીયાપાડાથી નિવાલ્દા જતા રસ્તા ઉપર આજુબાજુના ઘરોમાં ધૂળ ઉડતી હોવાથી લોકો ખૂબ જ હેરાન થાય છે અને આજુબાજુના સોસાયટીવાળા પણ ખૂબ જ હેરાન થાય છે જેથી આ રોડ બની જાય તો ધૂળ ઊડતી બંધ થઈ જાય અને આજુબાજુના સોસાયટી તેમજ રસ્તે જતા લોકો દૂરથી પરેશાન ન થાય એના માટે ડેડીયાપાડાથી નિવાદદાની વચ્ચે ખાડી પર આવેલા પુલ ઉપર લોકો શાંતિથી બેસી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે એ જોવું રહ્યું કે પ્રજા વિરોધ સામે તંત્રની આંખ ઉઘડે છે કે નહીં!

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ તથા અંકલેશ્વર શહેરી વિસ્તાર ‘પ્રતિબંધ ગતિ ઝોન’ તરીકે જાહેર ‘પ્રતિબંધિત ગતિ ઝોન’ વિસ્તારમાં ૩૦ કિ.મી. પ્રતિ કલાકથી વધારે ઝડપથી કોઈ વાહન ચલાવવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાગલેના અધ્‍યક્ષપદે મળેલી બેઠક

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક ઓફ બરોડાનાં કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!