Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધરોઇમાંથી ૫.૯ હજાર ક્યુસેક પાણીની આવક થતાં સંત સરોવરના છ દરવાજા ખોલાયા

Share

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. જેના પગલે ત્યાંથી વધુ ૫.૯ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે જે લાકરોડા ડેમમાં અને ત્યાર બાદ સંત સરોવરમાં ભરાય છે ત્યારે અહીં સંત સરોવર ડેમમાં પણ આવક વધવાને કારણે આજે છ દરવાજા ખોલીને આજે વધુ ૧૪,૪૨૮ ક્યુસેક પાણી વાસણા બેરજ તરફ છોડવામાં આવ્યું છે જેના પગલે ઇન્દ્રોડા પછીના નદી કિનારાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે.

સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા ડેમમાં પાણીની આવક વધી રહી છે જે સારી બાબત છે પરંતુ સંગ્રહની શક્તિ કરતા વધુ આવક થવાને કારણે ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી હતી છેલ્લા ચાર દિવસથી ઓછા વત્તા પ્રમાણમાં પાણી ગાંધીનગર તરફ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે આજે પણ વધુ ૫.૯ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે અહીંથી પાણી લાકરોડા ડેમ અને તેમાંથી પાણી સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા સંત સરોવરમાં આવ્યું છે અહીં પહેલેથી જ સંત સરોવર ડેમ ફુલ થઇ ગયો હતો ત્યારે આજે વધુ પાણી ધરોઇ ડેમમાંથી છોડવામાં આવતા સંત સરોવરમાં ગઇકાલે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા તે આજે છ દરવાજા ખોલીને તેમાંથી ૧૪,૪૨૮ ક્યુસેક જેટલું પાણી નદીમાં વાસણા બેરજ તરફ છોડવામાં આવ્યું છે. સંત સરોવર તથા હેઠવાસના ૧૦ ગામો ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયણસ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઇ અને નભોઇના ગ્રામજનોને નદી કિનારે નહીં જવાની સુચના આપી છે.ઉલ્લેખનીય છે કે, સંત સરોવર પછી પણ નદી બે કાંઠે વહેતી થઇ છે તેમ છતા લોકો અહીં ન્હાવા અને ફોટોગ્રાફી માટે જઇ રહ્યા છે જે જોખમી છે.

Advertisement

Share

Related posts

રાજકોટના પોશ ગણાતા યાજ્ઞીક રોડ પર ત્રણ યુવાનો વચ્ચે મારામારી થઈ.

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એક વખત પ્રદૂષિત પાણી વરસાદી ગટરોમાં વહેતા જીપીસીબી દ્વારા તપાસ કરાઇ

ProudOfGujarat

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડની પરીક્ષામાં સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સમીરા ખત્રીનું VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!