Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધરોઇમાંથી ૫.૯ હજાર ક્યુસેક પાણીની આવક થતાં સંત સરોવરના છ દરવાજા ખોલાયા

Share

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. જેના પગલે ત્યાંથી વધુ ૫.૯ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે જે લાકરોડા ડેમમાં અને ત્યાર બાદ સંત સરોવરમાં ભરાય છે ત્યારે અહીં સંત સરોવર ડેમમાં પણ આવક વધવાને કારણે આજે છ દરવાજા ખોલીને આજે વધુ ૧૪,૪૨૮ ક્યુસેક પાણી વાસણા બેરજ તરફ છોડવામાં આવ્યું છે જેના પગલે ઇન્દ્રોડા પછીના નદી કિનારાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે.

સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા ડેમમાં પાણીની આવક વધી રહી છે જે સારી બાબત છે પરંતુ સંગ્રહની શક્તિ કરતા વધુ આવક થવાને કારણે ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી હતી છેલ્લા ચાર દિવસથી ઓછા વત્તા પ્રમાણમાં પાણી ગાંધીનગર તરફ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે આજે પણ વધુ ૫.૯ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે અહીંથી પાણી લાકરોડા ડેમ અને તેમાંથી પાણી સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા સંત સરોવરમાં આવ્યું છે અહીં પહેલેથી જ સંત સરોવર ડેમ ફુલ થઇ ગયો હતો ત્યારે આજે વધુ પાણી ધરોઇ ડેમમાંથી છોડવામાં આવતા સંત સરોવરમાં ગઇકાલે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા તે આજે છ દરવાજા ખોલીને તેમાંથી ૧૪,૪૨૮ ક્યુસેક જેટલું પાણી નદીમાં વાસણા બેરજ તરફ છોડવામાં આવ્યું છે. સંત સરોવર તથા હેઠવાસના ૧૦ ગામો ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયણસ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઇ અને નભોઇના ગ્રામજનોને નદી કિનારે નહીં જવાની સુચના આપી છે.ઉલ્લેખનીય છે કે, સંત સરોવર પછી પણ નદી બે કાંઠે વહેતી થઇ છે તેમ છતા લોકો અહીં ન્હાવા અને ફોટોગ્રાફી માટે જઇ રહ્યા છે જે જોખમી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગની ખ્યાતનામ સંસ્થા શ્રી રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલયમાં 16 વર્ષથી સેવા આપતાં 15 જેટલાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવતા વિરોધનો વંટોળ

ProudOfGujarat

ડેડીયાપાડામાં આદિવાસી દિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડયા ધજાગરા.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 18 થી 44 વર્ષની વયના લોકોને રસી આપવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!