Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા એપીએમસી માર્કેટ ખાતે સેનેટાઇઝ ટનલ મુકવામાં આવી.

Share

પંચમહાલ જીલ્લામાં પણ કોરોના વાયરસનાં પોઝીટીવ કેસોની સંખ્યા ૨૩ જેટલી નોંધાઈ છે. હાલમા તંત્ર દ્વારા પણ શરતી છુટછાટ દુકાનદારોને આપવામાં આવી છે.પોલીસ વિભાગ પણ લોકડાઉનનો અમલ કરાવી રહ્યુ છે.ગોધરામાં આવેલા એપીએમસી માર્કેટ ખાતે કોરોના વાયરસનું સંક્રમણનો ભોગ ખેડૂતો અને વેપારીઓ ન બને તે માટે સેનેટાઇઝ ટનલ મુકવામાં આવી છે. ગોધરામાં આવેલું ખેતીવાડી ઉત્પન બજાર સમિતીમાં વેપારીઓ અને ખેડૂત સહિત લોકો આવતા હોય છે. હાલમાં કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે.તેના સંક્રમણથી બચવા સતર્કતા ઉપાય છે.ગોધરા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરા ખાતે ખેડૂતો, વેપારીઓ અને યાર્ડમાં આવતા તમામ લોકો માટે સેનેટાઇઝ ટનલ મુકવામાં આવ્યું છે અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોને હેન્ડ સેનેટાઝર પણ આપવામાં આવ્યા છે.સાથે યાર્ડમાં માસ્ક પહેરીને આવવાનું સૂચન તેમજ સામાજિક અંતર રાખી વેપારના વ્યવહારો કરવા માટે ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પંચમહાલના કાલોલ પાલિકાતંત્રનો ઠંડાપીણા સહિત કેરીરસની હાટડીઓ પર સપાટો.કેરીરસનો જથ્થો નાશ કરાયો.

ProudOfGujarat

ગોધરા ફાયર વિભાગે કોરોનાનાં કહેર વચ્ચે ૨૧ દિવસમાં ૧૧ વોર્ડમાં આવેલા વિવિધ વિસ્તારોને સેનિટાઈઝ કર્યું.

ProudOfGujarat

કોરોના કાળમાં નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર જિલ્લા માંથી 8 બોગસ તબીબો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!