Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા : અંતિમ સંસ્કાર માટે મૃતદેહોનુ વેઈટીંગ, પરીસ્થિતી વિકટ ?

Share

ગુજરાતના અન્ય જીલ્લા હોય કે પંચમહાલ જીલ્લો સાચા આંકડા આપવામા તંત્ર નિષ્ફળ સાબીત થઈ રહ્યુ છે. હાલમાં સ્મશાનોની બહાર મૃતદેહોનું વેઈટીંગ તેની સાબિતી છે. ગોધરા શહેરમાં પણ આવી જ પરિસ્થીતીનુ નિર્માણ થયુ છે.

ગોધરા શહેરમાં કોરોના સંક્રમણના કારણે દિન પ્રતિદિન કોરોના દર્દીઓના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો સાથે સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ આ બાબતે સરકારી તંત્ર કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી અને ગોધરા સીવીલ હોસ્પિટલમાં થતા મોતના આંકડા ઓની માહિતી આપવા માટે વહીવટી તંત્રના સત્તાધીશો ઈન્કાર કરી રહ્યા છે જેના કારણે ગોધરાના બહારપૂરા વિસ્તારમાં આવેલ મુક્તિધામ સ્મશાનમાં વિતેલા 48 કલાક દરમિયાન 18 લોકો અગ્નિસંસ્કાર માટે હાલમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે જેનું મુખ્ય કારણ ગોધરામાં આવેલ સ્મશાનગૃહમાં ગેસ આધારિત ફરનેશ બીજી વખત ક્ષતિગ્રસ્ત થતા મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે. હાલ ગેસ સંચાલિત ફરનેશ ક્ષતિગ્રસ્ત હોવાના કારણે એક મૃતદેહના અંતિમ સંસ્કાર માટે 3 કલાકનો સમય લાગે છે આમ વીતેલા 48 કલાકમાં 18 મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગમાં છે. આમ મોતના આંકડા છુપાવવા માટે સિવિલ સત્તાધીશોએ મડદા ઘરમાં મુકવામાં આવેલા મૃતદેહોની માહિતી આપવાનો ઇન્કાર કરી રહ્યા છે. ગોધરા શહેરમા પાલિકાની મોક્ષ વાહિનીમાં કોરોનાથી મરણ પામેલા મૃતદેહો લઈ જવાની બદલે બંધ એમ્બયુલન્સમા લઈ જવાની માંગ ઉઠી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર માં 2021 માં કસાઈ વાડે કતલ માટે ગૌવંશ મોકલનાર ઝંખવાવ ઈસમ ઝડપી પાડ્યો હતો. 

ProudOfGujarat

સુરેન્દ્રનગર : એસબીઆઈ બેંક દ્વારા વેપારીઓની વર્કીંગ લીમીટમાં ૧૦ ટકાનો વધારો કરાયો.

ProudOfGujarat

ભરૂચ : અંબિકા જવેલર્સમાં લૂંટ વિથ ફાયરિંગ કરી ફરાર થયેલા લૂંટારુઓ ઝડપાયા,પોલીસે મુદ્દામાલ સહિત ચારની કરી ધરપકડ..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!