Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : નિરંકારી સંત્સગ ભવન ખાતે રસીકરણ કેમ્પ યોજાયો.

Share

ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલા સંત નિરંકારી મિશન ગોધરા બ્રાંચ અને પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમા લોકોએ હવે સ્વંય જાગૃત બનીને રસી મૂકાવી હતી.

ગોધરા ખાતે નિરંકારી સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદ દ્વારા ગોધરા નિરંકારી સત્સંગ ભવન ખાતે કોરોના રસીકરણ સેન્ટરમાં ૧૮ થી ૪૪ વર્ષ સુધીના તમામ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યૂ હતું, જેનું ઉદઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી અને ગોધરા નિરંકારી બ્રાન્ચના સંયોજક શ્રીમતી વિદ્યાદેવીજી નિરંકારીના હસ્તે કરવામાં આવ્યું. જેમાં ડોક્ટરની ટીમ પણ હાજર રહી હતી.

દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી એ જણાવ્યું કે, સંત નિરંકારી મિશન સમાજ સેવાના કાર્યો માટે હર-હમેંશ તત્પર હોય છે. સરકાર ની ગાઈડલાઈન મુજબ આજથી કોરોના રસીકરણ સેન્ટર ગોધરા નિરંકારી સત્સંગ ભવન ખાતે ઉભુ કરવામાં આવ્યું. જેમાં અંદાજે રોજના ૨૦૦ જેટલા લોકોને કોરોના રસી આપવામાં આવશે. જેનું રજીસ્ટ્રેશન ઓનલાઇન નોંધાવી શકશે. જે સરકાર ના આદેશ અનુસાર સેન્ટર કાર્યરત રહેશે.
કોરોનાના કેસો ઓછા થયા છે.પણ સાવચેતી માટે રસી જરૂરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અમદાવાદનાં નરોડા ગામ કોમી રમખાણ કેસમાં આજે વિશેષ અદાલત ચુકાદો સંભળાવશે

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં તાલુકા-જિલ્લાકક્ષાએ કલા મહાકુંભ-૨૦૨૧-૨૨ નું આયોજન.

ProudOfGujarat

અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક યથાવત, નવા બોરભાઠા ગામના પટેલ ફળીયા વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી હજારોની ચોરીની ઘટનાને અપાયો અંજામ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!