Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગાંધીજયંતી વિશેષ : ગોધરામાં પણ આવેલો છે ગાંધીજીએ સ્થાપેલો ગાંધીઆશ્રમ…

Share

આજે દેશના મહાન નેતા મહાત્મા ગાંધીજીની 152 જન્મજંયતી ઉજવામા આવી રહી છે. ભારતભરમા પણ તેમની ઊજવણી કરવામા આવશે ગાંધીજીએ માત્ર દેશની આઝાદીના લડવૈયા હતા એમ નહી પણ જાતિગત ભિન્નતા અસ્પૃશ્યતાને પણ દુર કરવા બીડુ પણ ઝડપ્યુ. ગોધરા શહેરમા 104 વર્ષ જુનો ગાંધી આશ્રમ આવેલ છે, જે ૧૯૧૭માં સ્થાપવામા આવ્યો છે. ગુજરાત પ્રાતિક સમિતિએ આશ્રમના મકાન માટે જરુરી ફંડ ફાળો એકઠો કરવામા પણ આવ્યો હતો. આ આશ્રમમા બુનિયાદી કેળવણી આપવામા આવતી હતી. હાલ સંચાલન ગુજરાત હરિજન સેવક સંઘ દ્વારા કરવામા આવે છે.

ગાંધીજીના હાકલથી મહારાષ્ટ્રના એવા વિઠ્ઠલદાસ ફડકેનો પણ આ ગાંધીઆશ્રમ સાથે જોડાયા હતા અને જીવંતપર્યત સેવા આપી. તેઓ પંચમહાલ જીલ્લામા જે ગામડાઓમાં પાણીના કુવા, હરિજનો માટે રહેવાના મકાનો,જાતિય હુમલાઓની ઘટના ઓની સામે તેમના દ્વારા યોગ્ય પગલા લેવામા આવતા હતા. ગોધરા શહેરમા ૧૯૪૭ની સાલમા જવાહરલાલ નહેરુ આવ્યા હતા. ગોધરા શહેરના આ ગાંધી આશ્રમ હાલ છાત્રાલય ચાલે છે. જ્યા જમવાની પણ સુવિધા પુરી પાડવામા આવે છે. જેમા હાલ ૪૦ બાળકો રહે છે અને અભ્યાસ કરે છે. સરકાર તરફથી અનુદાન આપવામા આવે છે અહી છાત્રાલયના ગૃહપતિ તરીકે કાન્તીભાઈ પરમાર હાલ દેખરેખ રાખે છે. અહી અભ્યાસ કરતા બાળકોનુ ધ્યાન પણ તેઓ રાખે છે.આ છાત્રાલયમા આજસુઘી ૧૬૦૦ જેટલા બાળકો અભ્યાસ કરી ચુક્યા છે. જે સારા હોદા પર નોકરી કરે છે.

પંચમહાલ જીલ્લા માટે પણ ગૌરવની વાત છે કે ગાંધીજી જેવી વિશ્વવિભુતી અહી ત્રણ વખત ગોધરા શહેરમા આવી ચુકી છે. આ ગાંધી આશ્રમનો પણ એક પ્રવાસન ધામ તરીકે વિકસાવામા આવે તેવી માગ શહેરમા ગાંધીપ્રેમીઓમાં ઉઠવા પામી.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળ : શ્રી.એન.ડી. દેસાઈ સાર્વ. હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહ ધો.12 નું 83.29% પરિણામ આવ્યું.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની યુપીએલ-૫ ખાતે ગાલા ઇવેન્ટ ઉપલક્ષ્ય‌ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન રોડ પરના ભૃગુમંઝીલ શોપીંગમાં ૪ દુકાનોના તુટ્યા તાળા, ચોરીના સી.સી.ટી.વી આવ્યા સામે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!