Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : મોદીના કાર્યક્રમમા કેટલીક બસ ફાળવતા ખાનગી વાહનચાલકોને ઠાસોઠાસ ભરીને દોડાવ્યા

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં જનમેદની ભેગી કરવા પંચમહાલ દાહોદ અને મહિસાગર જિલ્લામાંથી 240 બસો મૂકવામાં આવી હતી ગોધરા ડેપોમાંથી 25 બસો મૂકવામાં આવી હતી આના કારણે અપ ડાઉન કરતા નોકરિયાત વર્ગ અને મુસાફરો ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો બસ સ્ટેશન પર નિયત સમયે તો આવી ગયા પણ બસ તેમના નિયત સમયે આવી ન હતી કારણ કે કેટલીક ફાળવેલી બસો અમદાવાદ ખાતે કાર્યક્રમમાં જતી રહી હતી. બસોને કાર્યક્રમમાં ફાળવી દેવાના કારણે ખાસ કરીને ખાનગી વાહનો ચાલકો ભારે ગેલમાં આવી ગયા હતા અને કેટલાક વાહન ચાલકોએ મન ફાવે તેમ ભાડું વસૂલીને ઉઘાડી લૂંટ ચલાવી હતી અને પોતાના ખાનગી વાહનોમાં મુસાફરોને ઠસોઠસ ભરીને વહન કરતાં પણ જોવા મળ્યા હતા. ખાસ કરીને શહેરા ગોધરા રોડ દાહોદ રોડ સિવિલ લાયન્સ રોડ ઉપરના ખાનગી વાહનો ચાલકોએ ઘેટા બકરાની જેમ વાહનોમાં મુસાફરોને ભર્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસના જવાનો પણ તેમની સામે મુખ પ્રેક્ષક બની રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ગુજરાતના મુળ વતની અને હિન્દી ફિલ્મ જગતના અભિતેના ફારુક શેખના જન્મદિવસે ગુગલે તેમનુ ડુડલ મુક્યું

ProudOfGujarat

અંક્લેશ્વરમાં મૌસમનાં પહેલા વરસાદથી આંનદનો માહોલ

ProudOfGujarat

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીજીની હત્યાના વિરોધમાં કરજણ બંધ, ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!