Proud of Gujarat
INDIAFeaturedGujarat

લોકસભામાં ચાલી રહેલા મોન્સૂન સત્રમાં ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ નિયમ 377 હેઠળનો મુદ્દો ઉઠાવ્યો.

Share

હાલ લોકસભાનું મોનસૂનસત્ર ચાલી રહ્યું છે. આ મોન્સૂન સત્રમા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ નિયમ 377 હેઠળનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં 
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સરકારી યોજનાઓના અમલીકરણમાં સરકારી તંત્રને વધુ પારદર્શી બનાવવાની સાંસદે માંગ કરી છે.

સંસદ સત્રમા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ભારતની સૌથી વધુ વિકાસથી વંચિત જાતિઓમાની એક જાતિ છે. સંવિધાનના નિર્માતાઓએ બધા જ પ્રકારના વંચિત વર્ગોને ભેદભાવમાંથી છુટકારો આપવા બંધારણમા રક્ષણ આપેલ છે. જેમાં શિક્ષણ અને નોકરીઓમાં વંચિત વર્ગોને અનામત આપવાનો પણ હેતુ રાખેલ છે. હાલ દેશ 75 મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે ત્યારે ભારત સરકારને મારી અપીલ છે કે આવા વંચિત વર્ગોને દેશના વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ખાસ પ્રયત્નો કરવાની જરૂર છે. આપણા વડાપ્રધાન પણ પછાત જાતિઓનો વિકાસ ઈચ્છી રહ્યા છે ત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સરકારી યોજનાઓના અમલીકરણ સરકારી તંત્રને વધુ પારદર્શી બનાવવા અનુરોધ કર્યો છે.

Advertisement

જ્યોતિ  જગતાપ, રાજપીપલા 


Share

Related posts

નેત્રંગમાં આઠ વર્ષીય શેખ અફીફા બાનુ એ પોતાના જીવનનો પ્રથમ એક મહિનાનો રોજો રાખ્યો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં નિકોરા ગામે ફાર્મ હાઉસમાં થયેલ દુષ્કર્મ અંગે આમ આદમી પાર્ટીએ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ઝઘડીયા BTP ના ધારાસભ્યએ AAP ના નેતાઓ પર થયેલ હુમલાને વખોડી કહ્યું, સરકાર આતંકવાદ ફેલાવવાનું કૃત્ય કરે છે : છોટુ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!