Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજથી હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસની શરૂઆત, ગુજરાતના મંદિરોમાં ભક્તોની ભીડ.

Share

હિન્દૂ ધર્મનો સૌથી પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઇ ગયો છે અને મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ માસમાં ઉપવાસનો મહિનો પણ કહેવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ અને દ્વારકા ખાતે આવેલા નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

ગુજરાત સહીત દેશભરમાં શ્રાવણ મહિનાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ મંદિરોમાં દરરોજ જુદા જુદા ફૂલોથી શણગાર કરવામાં આવશે. દેવોના દેવ મહાદેવ મનોકામના પુરી કરે તે હેતુથી ભક્તો શિવલિંગની પૂજા કરશે અને નાના મંદિરો થી લઇ મોટા મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવશે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હોય મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

Advertisement

ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનો શરુ થયો હોવાથી નોનવેજ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે અને આ પવિત્ર મહિનો પૂરો ન થાય ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ માંસનું વેચાણ કરી શકાશે નહીં. ગુજરાતના મોટાભાગના લોકો શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોવાથી ખાદ્ય વસ્તુઓ પર પણ તંત્રની નજર રહેશે જેથી ભેળસેળ યુક્ત સામગ્રીથી લોકોની તબિયત બગડે નહીં અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તકેદારી રાખવામાં આવશે.


Share

Related posts

નર્મદા મૈયા બ્રિજ પર જાહેરનામાના ભંગ શબાબ એકની અટકાયત કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રવણ વિદ્યાભવન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંક્લેશ્વરના ભડકોદ્રા ગામે ઘરમાં જ જુગાર રમતાં પાંચ ઝબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!