Proud of Gujarat
FeaturedGujaratINDIA

શા માટે આવી રહ્યા છે ગુજરાતની મુલાકાતે અમિત શાહ જાણો વધુ ?

Share

ગાંધીનગરનાં સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહ ઘણા લાંબા સમય બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નવરાત્રિ પ્રસંગે તેમની પારંપારિક પ્રથા અનુસાર તેઓ માણસામાં બહુચરાજી માતાજીએ દર્શનાર્થે જશે અને બીજા નોરતેથી પરિવાર સાથે સમય વ્યતીત કરશે. આ તેમની કોઇ રાજકીય મેળાવડો કે મુલાકાત નથી તેવું ભાજપનાં અંગત સૂત્રોએ જણાવ્યુ છે તેમ છતાં અહીં નોંધવું રહ્યું કે ગુજરાત રાજયમાં 8 સીટની પેટા ચૂંટણી યોજાનાર છે તો આ બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવા અંગે તેઓ સંધનાં કાર્યકરો અને નેતાઓને માર્ગદર્શન પણ પૂરું પાડી શકે છે, નવરાત્રિનાં પ્રારંભે અમિત શાહની ગુજરાતની મુલાકાત અને ત્યારબાદ આવનારા સમયમાં પેટા ચૂંટણીઓનો પ્રારંભ આમ તો આ મુલાકાતે રાજકીય મુલાકાત નથી તેવું ભાજપનાં સૂત્રો જણાવે છે પરંતુ આ મુલાકાત દરમિયાન પાર્ટીનાં કાર્યકરો સાથેની ગોષ્ઠી એક રાજકીય ઓપ ગુજરાત માટે હોય તો નવાઈ નહીં ?

Advertisement

Share

Related posts

નેત્રંગનાં ભોટ નગર ઊડી ગામે ગરીબો માટે અનાજની કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ગોધરા : શહેરા ભાગોળ નજીકની રેલ્વે ફાટક પાસે ગટરની દિવાલ તુટતા ગંદુ પાણી રોડ પર રેલાતા પાલિકાને આવેદન.

ProudOfGujarat

ભરૂચનાં મકતમપુર ઝાડેશ્વર રોડ ઉપર આઈનોક્ષ સિનેમાની સામે વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં આગનાં કારણે આજુબાજુનાં વિસ્તારમાં દોડધામ મચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!