Proud of Gujarat
FeaturedGujaratINDIA

તલાટીની પરીક્ષામાં 17 લાખમાંથી 8.65 લાખ ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા

Share

આગામી સાતમી મે ના રોજ તલાટીની ભરતી પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે આજે સંમતિ પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો. ઉમેદવારો માટે હવે સંમતિ પત્રક ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. જે ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ આગામી સમયમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તેમજ જેમને સંમતિ પત્ર નથી આપ્યુ એમને ફી પરત આપવામાં આવશે નહી. ગત પરીક્ષા જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જે કેન્દ્ર ઉપલબ્ધ થયા છે એમાથી શ્રેષ્ઠ કેન્દ્રોનો ઉપયોગ કરીશું.

પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આજે તલાટીની પરીક્ષા માટે સંમતિ પત્રક ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે અને જે લોકોએ આ સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ આગામી સમયમાં પરીક્ષા માટે કોલ લેટર ડાઉન લોડ કરી શકશે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 17 લાખથી વધુ લોકોએ તલાટીની પરીક્ષા માટેના ફોર્મ ભર્યાં છે તેમાંથી 8 લાખ 65 હજાર ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે. બાકીના લોકોને પરીક્ષાની ફી પરત આપવામાં આવશે નહીં તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે.

Advertisement

તેમણે ડમી ઉમેદવારને લઈને કહ્યું હતું કે, ડમી ઉમેદવારો સામે ત્વરીત પગલા લેવાશે. આ ઉપરાંત ભૂતકાળના ડમીકાંડ વિશે પણ માહિતી મળશે તો કાર્યવાહી થશે. તેમજ આગામી સમયમાં પરીક્ષામાં ગેરરીતિને ચલાવી નહીં લેવામાં આવશે. જે પણ કોઈ ગેરરીતિ કરતાં પકડાશે તેને માટે સરકારે કાયદો બનાવ્યો છે તેના હિસાબે પગલાં ભરવામાં આવશે.


Share

Related posts

વિરમગામ શહેર રાજમાર્ગો પર વીર માંધાતા ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી..

ProudOfGujarat

માંગરોળ : શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 92.07%પરિણામ આવ્યું.

ProudOfGujarat

નેત્રંગ પોલીસે ઇંગ્લિશ દારૂના ત્રણ અલગ અલગ રીઢા બુટલેગરોને શોધી કાઢયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!