Proud of Gujarat
FeaturedGujarat

ઝગડીયા ઔદ્યોગિક વસાહતનું એફલુએન્ટને દરિયા સુધી લઈ જતી પાઇપનું હાંસોટ ખાતેના એક ખેતરમાં લીકેજ થતા ખેડૂતને થયેલ નુકસાન…

Share

અંકલેશ્વર
તારીખ.18.03.19

હાઇડ્રો ટેસ્ટ કર્યા વગર ફક્ત ફ્લો ટેસ્ટ કરી લાઇન ચાલુ કરી હતી તેનું આ પરિણામ હોઈ શકે છે- સલીમ પટેલ-પ્રકૃતિ સુરક્ષા મંડળ.

Advertisement

ઝગડીયા ઔદ્યોગિક વસાહત નું એફલુએન્ટ ને દરિયા સુધી લઈ જતી પાઇપ નું હાંસોટ ખાતે ના એક ખેતર માં રાત્રી ના સમયે વધારે ફ્લો વધારે થતા લીકેજ થવા ના કારણે ખેડૂત ના ખેતર માં અનેક જગાએ ખાડા પડી ગયા અને એફલુએન્ટ ખેતર માં વહી ફળદ્રુપ જમીન ને નુકસાન કર્યું હોવાનું ખેડૂતે જણાવેલ છે.

હાંસોટ ના શ્રી અસફાક તાજભાઈ નામના ખેડૂત ના જણાવ્યા મુજબ લાંબા સમય થી ચાલતા આ નાના લીકેજ ની જાણકારી મેં NCTને આપી હતી .પરંતુ NCT દ્વારા રીપેર ના કરાતા આ બનાવ બન્યો હોવાનો અને વારંવાર નું આ નુકશાન થયું આની જવાબદારી કોણ સ્વીકારશે? ખેતી એ જ એકજ મારી આજીવિકા છે. અને આ અગાઉ લીકેજ થયો તયારે પણ મેં અનેક લખિત અને વકીલ મારફત પણ જાણ કરી હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી NCT તરફથી કરવામાં આવતી નથી રીપેર કરવા પણ આવતા નથી.હાઇડ્રો ટેસ્ટ કર્યા વગર ફક્ત ફ્લો ટેસ્ટ કરી લાઇન ચાલુ કરી હતી તેનું આ પરિણામ હોઈ શકે છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે આ ઝગડીયા થી દરિયા સુધી જતી લાઇન શરૂઆત થી જ વિવાદિત બની રહી છે. આ લાઇન ના માં કોન્ટ્રાક્ટરો વિવાદ થતા કોર્ટ કેશો થયા જે હાલ પણ ચાલુ જ છે. અંદાજીત ખર્ચ અને અંદાજીત સમય કરતા વધારે સમય અને ખર્ચ થયો છે તેમ છતાં તે કામગીરી માપદંડો મુજબ થઈ ન હતી હાલ ફક્ત ઝગડીયા જીઆઇડીસી નું જ એફલુએન્ટ વહે છે અને તે 10 MLD(અંદાજીત) છે.જ્યારે આ પાઇપ લાઇન ની કેપેસિટી 60 MLD ની છે અને 35 MLD ની મનજુરી જીપીસીબી એ આપી છે. આમ ફક્ત 10 MLD ના ના એફલુએન્ટ ના વહન માં લીકેજ થવા નું કારણ શું હોઈ શકે? એક સંભાવના એ છે કે આ લાઇન હાઇડ્રો ટેસ્ટ કર્યા વગર ફક્ત ફ્લો ટેસ્ટ કરી લાઇન ચાલુ કરી દેવા માં આવી હતી તેનું આ પરિણામ હોઈ શકે છે. અને આવી ગેરકાયદેસર ની મંજુરી આપવામાં જીપીસીબી પણ એટલીજ જવાબદાર છે. હાલ ઝગડીયા જીઆઇડીસી માં નવા-નવા ઉદ્યોગો ની સ્થાપના થઇ રહી છે તેથી ફ્લો વધશે તો શું પરિસ્થિતિ સર્જાશે એ વિચારવું રહ્યું.


Share

Related posts

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસનો પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક અકસ્માતો તેમજ સુવિધાઓ માટે તંત્રને જગાડવા સદ્દભાવના કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદ : સ્વ. અહેમદભાઈ પટેલનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

2030 સુધીમાં ભારતમાં ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે 543 બિલિયન ડોલર રિટેલ ઇન્વેસ્ટર્સની મૂડી એકત્ર કરી શકાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!