Proud of Gujarat
FeaturedINDIASport

રાહુલ દ્રવિડ ટી-20 વર્લ્ડકપથી 2023 વર્લ્ડકપ સુધી રહેશે કોચ

Share

ભારતના પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા સંમત થયા છે. નોંધનીય છે કે તાજેતરમાં તે શ્રીલંકા સામે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા હતા. વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. ટી 20 વર્લ્ડ કપ બાદ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળી શકે છે. ટી 20 વર્લ્ડ કપમાં ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે અભિયાનની શરૂઆત કરશે. વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 કેપ્ટનશિપ છોડવાની પણ જાહેરાત કરી છે.

દુબઈમાં બીસીસીઆઈના BCCI સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે દ્રવિડ સાથે બેઠક યોજી અને ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમમાં જોડાવા માટે કહ્યું. દ્રવિડ 2023 વર્લ્ડ કપ સુધી ટીમનો કોચ રહેશે. દ્રવિડ ઉપરાંત પારસ મહામ્બ્રેને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેનો કાર્યકાળ પણ 2023 વર્લ્ડ કપ સુધી પણ રહેશે. દ્રવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ છે. શુક્રવારે રાત્રે આઈપીએલની ફાઇનલ દરમિયાન બીસીસીઆઈના એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, રાહુલ દ્રવિડ ભારતીય ટીમનો મુખ્ય કોચ હશે. તેઓ ટૂંક સમયમાં NCA ચીફના પદ પરથી રાજીનામું આપશે.

Advertisement

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સૂત્રોએ કહ્યું કે દ્રવિડે કોચ બનવા માટે પોતાની સંમતિ આપી દીધી છે. તેમણે કહ્યું કે આનાથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. વિક્રમ બેટિંગ કોચ તરીકે ચાલુ રહેશે. તેમના સિવાય અન્ય પોસ્ટ્સનું ધ્યાન રાખવામાં આવશે. રાહુલ દ્રવિડ હંમેશા બીસીસીઆઈની પ્રથમ પસંદગી હતા.


Share

Related posts

સુરેન્દ્રનગર ચુડાના વેજલકા ગામના ખેડુતની આત્મહત્યા થી વેજલકા ગામે ખેડુતોમાં સંનાટો

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો.પૂર આવેલા વિસ્તારોમાં પાઉડર નો છંટકાવ કરાયો.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાનાં કેસો કયાંથી આવ્યા અને તેનાં કોન્ટેકટ લિસ્ટ અંગેની મથામણ ખૂબ અધરી હોવાથી આ કામગીરી ઊંડાણથી કરવામાં આવતી હોય તેમ જણાતું નથી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!