Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે PM મોદી બપોરે 3 વાગ્યે દેશભરના તબીબોને સંબોધશે.

Share

‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દેશના તબીબી જગત સાથે સંકળાયેલા લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાને ટવીટ કર્યું હતું કે, કોવિડ-19 સામેની લડતમાં તેના તમામ ડોકટરોના પ્રયત્નો પર ભારતને ગર્વ છે. 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ત્રણ વાગ્યે હું ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડૉક્ટર સમુદાયને સંબોધન કરીશ. દર વર્ષે 1 જુલાઈએ દેશભરમાં રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ. બિધાનચંદ્ર રોયની જન્મદિવસ અને પુણ્યતિથિ છે. તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

કોવીડ-19 મહામારી સામે લડવામાં ડોકટરોના સમુદાયની મહત્વની ભૂમિકા છે અને આ સમયે પણ, ડોકટરો તેમના જીવનને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રની સેવામાં રોકાયેલા છે. વડાપ્રધાને તેમના સંબોધનોમાં આ માટે આગળની લાઈનો પર કામ કરતા ડોકટરો અને અન્ય લોકોની ઘણી વખત પ્રશંસા કરી છે. રવિવારે યોજાયેલ ‘મન કી બાત’ માં વડાપ્રધાને આ મહામારી દરમિયાન બીમાર લોકોની સેવા ચાલુ રાખતા તેઓની મદદ કરવા બદલ આઇએમએના તમામ ડોકટરોની પણ પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે દર વર્ષની જેમ આ દેશમાં 1 જુલાઇએ ડોકટરોના યોગદાનને માન આપવા રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવશે. કોરોના રોગચાળાના બીજા મોજામાં અત્યાર સુધીમાં દેશભરમાં 800 જેટલા ડોકટરો મૃત્યુ પામ્યા છે. આ ડોકટરોમાં દિલ્હીના ડોકટરોનું મહત્તમ મૃત્યુ થયું છે. એક અહેવાલ મુજબ, દિલ્હીમાં અત્યાર સુધીમાં 128 ડોકટરોનાં આ વાયરસને કારણે મોત નીપજ્યાં છે. બિહાર દિલ્હી પછી બીજા ક્રમે છે, જ્યાં 115 ડોકટરો મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં બીજી લહેર દરમિયાન 79 ડોકટરોએ જીવ ગુમાવ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચ : ચાવી બનાવવાનાં બહાને ઘરમાં ઘૂસી તિજોરીની ચાવી બનાવતી વખતે સોનાનાં દાગીના ચોરી કરનાર એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના કેવડી ગામે 350 જરૂરિયાત મંદ ગરીબ પરિવારોને અનાજ કીટ નું વિતરણ થયુ , કેવડી ગામના એક પરિવારે રૂપિયા બે લાખ નો ગુપ્ત દાન અનાજ કીટ માટે આપ્યુ.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ અને નીરાત નગરના સ્થાનિકો વચ્ચે રાજકીય ઘર્ષણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!