Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસરનાં નોંધણા ગામે મકાન ધરાશાયી થતાં બે બાળકીઓનું મોત નીપજયું .

Share

જંબુસર તાલુકાનાં નોંધણા ગામે એક હોનારત સર્જાય હતી જેમાં મકાન ધરાશાયી થતા બે બાળકીઓનું કરૂણ મોત નીપજયું હતું. આ અંગે વિગતે જોતાં અર્જુનસિંહ છત્રસિંહ પરમારનાં મકાન પર બીજા ઘરની દીવાલ ધરાશાયી થતાં ઘરનાં કાટમાળ નીચે બે બાળકીઓ દબાઇ જતાં તેમના મોત નીપજયાં હતા. અર્જુનભાઈની બે દીકરી હિના ઉં.13 તથા વૈશાલી ઉં.12 નું કાટમાળ નીચે દબાઈ જતાં મોત નીપજયું હતું. અર્જુનભાઈને કુલ 3 દીકરીઓ પૈકી એક દીકરીને બચાવી લેવામાં આવી હતી. આ બનાવ વહેલી સવારે બનતા મોટો અવાજ આવતા ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડી એક દીકરીને બચાવી લેવાય હતી જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે જંબુસર રેફરલ હોસ્પિટલ અને પોલીસે કાર્યવાહી કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં જુના તરસાલી ગામે હઝરત મનસુર શાહ બાવાના ૭૯ માં ઉર્સની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ખેડા ચોકડી પાસે પાર્ક કરેલ કન્ટેનરમાંથી અમૂલ ઘી ના બોક્સની ચોરી

ProudOfGujarat

ઉઠાંતરી કરેલ મોટર સાયકલ સાથે રીઢો ગુનેગાર ઝડપ વામાં પેરોલ ફ્લો સ્કૉડ ને સફળતા સાપડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!