Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસરનાં નોંધણા ગામે મકાન ધરાશાયી થતાં બે બાળકીઓનું મોત નીપજયું .

Share

જંબુસર તાલુકાનાં નોંધણા ગામે એક હોનારત સર્જાય હતી જેમાં મકાન ધરાશાયી થતા બે બાળકીઓનું કરૂણ મોત નીપજયું હતું. આ અંગે વિગતે જોતાં અર્જુનસિંહ છત્રસિંહ પરમારનાં મકાન પર બીજા ઘરની દીવાલ ધરાશાયી થતાં ઘરનાં કાટમાળ નીચે બે બાળકીઓ દબાઇ જતાં તેમના મોત નીપજયાં હતા. અર્જુનભાઈની બે દીકરી હિના ઉં.13 તથા વૈશાલી ઉં.12 નું કાટમાળ નીચે દબાઈ જતાં મોત નીપજયું હતું. અર્જુનભાઈને કુલ 3 દીકરીઓ પૈકી એક દીકરીને બચાવી લેવામાં આવી હતી. આ બનાવ વહેલી સવારે બનતા મોટો અવાજ આવતા ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડી એક દીકરીને બચાવી લેવાય હતી જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે જંબુસર રેફરલ હોસ્પિટલ અને પોલીસે કાર્યવાહી કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આંકડાના જુગાર સાથે બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

1 વાગ્યા સુધીમાં 35 ટકા મતદાન, જાણો કયા જિલ્લામાં થયું કેટલું મતદાન.

ProudOfGujarat

ભરૂચનાં કોવિડ સ્મશાન ખાતે એક જ અઠવાડિયામાં પોતાના માતા અને પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકે અશ્રુભીની આંખે પિતાને અગ્નિદાહ આપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!