Proud of Gujarat
FeaturedGujaratINDIA

લમ્પી વાયરસના કારણે જામનગર જિલ્લામાં કુલ 24 હજારથી વધુ પશુઓનું રસીકરણ.

Share

લમ્પી વાયરસ રોકવા રસીકરણ અભિયાન પુરજોશમાં રાજ્યભરમાં ચાલી રહ્યું છે. જામનગર જિલ્લામાં કુલ 24 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની નાબૂદી માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી લમ્પી વાયરસ નાબૂદી માટે રસીકરણ અને જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા તમામ પશુપાલકોને અપીલ કરવામાં આવી છે કે, આ રોગના લક્ષણો તમારા પશુમાં જણાય તો પશુને અલાયદી જગ્યામાં રાખવા સૂચન કરાયું છે. આ સાથે જ તત્કાલિક સારવાર માટે 1962 હેલ્પલાઈન નંબર પર કે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા સૂચન કરાયું છે.

Advertisement

જામનગર તાલુકામાં 500 થી વધુ પશુની સારવાર અને 6 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. જોડિયા તાલુકામાં 100 થી વધુ પશુઓની સારવાર અને 2 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. આ ઉપરાંત ધ્રોલ તાલુકામાં 300 થી વધુ પશુઓની સારવાર અને 2 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. જામજોધપુર તાલુકામાં 40 થી વધુ પશુઓની સારવાર અને 1 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. આ ઉપરાંત અન્ય તાલુકાની વાત કરીએ તો લાલપુર તાલુકામાં 30 પશુઓની સારવાર, 1 હજારથી વધુ પશુઓનું રસીકર તેમજ કાલાવડ તાલુકામાં 10 પશુઓની સારવાર અને 3 હજારથી વધુ પશુઓનું રસીકરણ થયું છે.


Share

Related posts

વિવેક રંજન અગ્નિહોત્રીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ‘GIFA ગોલ્ડન એવોર્ડ’થી સન્માનિત કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર બે યુવાનોના મોત, નિલેશ ચોકડી વિસ્તારમાં બની ઘટના, અજાણ્યો વાહન ચાલક થયો ફરાર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન નર્મદા નદીમાંથી બે અલગ અલગ સ્થળોએ બિનવારસી મૃતદેહો મળી આવતા ચકચાર મચી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!